SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૫૧ પ્રથમાદિ પ્રદેશની જેમ અંત્ય પ્રદેશ પણ અજીવ હોય તો સર્વથા જીવાભાવનો પ્રસંગ આવે છે. હવે જો પૂરણત્વ સમાન હોવા છતાં અંત્ય પ્રદેશ જ જીવ કહેવાય અને બીજા બધા અજીવ કહેવાય એવો આગ્રહ તું ન છોડે તો રાજાદિની જેમ તારી મરજી. જે ઠીક લાગે એ બોલે. અને એમ છતાં વિપર્યય પણ કેમ ન થાય ? પ્રથમ પ્રદેશ જીવ અને ચરમ પ્રદેશ અજીવ અથવા વિષમતા પણ કેમ ન થાય. કેટલાક પ્રદેશો જીવો, કેટલા અજીવો આવા અનિયમથી સર્વવિકલ્પોની સિદ્ધિ કેમ ન થાય ? સ્વેચ્છાએ બોલનારા સર્વપક્ષો ગમે તેમ બોલી શકે છે. જે પૃથક્ એક-એક અવયવમાં નથી તે સર્વ સમુદિત અવયવોમાં પણ ન હોય, જેમ રેતીના પ્રત્યેક કણોમાં ન રહેલું તેલ તેના સમુદાયમાં નથી. પ્રથમાદિ એક-એક અવયવમાં જીવ નથી તો શેષ પ્રદેશોમાં ન રહેલું જીવત્વ પરિણામાદિથી તુલ્ય એવા ચરમ પ્રદેશમાં અકસ્માત્ ક્યાંથી ટપકી પડ્યું ? પ્રશ્ન-૯૫૩ - • પ્રથમાદિ અંત્યસિવાયના પ્રદેશોમાં દેશથી જીવ છે જ, ચરમપ્રદેશમાં તો એ સંપૂર્ણ પણ છે, એટલો ફેર છે. એટલે નં સવ્વા ન વીસુ (ગા.૨૩૪૦) એ વાત અસિદ્ધ છે. ઉત્તર-૯૫૩ – તો પણ ચ૨મપ્રદેશમાં સંપૂર્ણપણે જીવ કઈ રીતે ઘટે ? ત્યાં પણ એ દેશથી જ ઘટે પ્રથમાદિ પ્રદેશથી જેમ તે પણ પ્રદેશ છે જો અંત્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માને તો ત્યાં તેના ભાવમાં જે હેતુ છે તે શેષપ્રદેશોમાં પણ સમાન જ છે. એટલે તેમનામાં પણ અંત્યપ્રદેશની જેમ પ્રતિપ્રદેશ સંપૂર્ણ જીવત્વ કેમ નથી માનતો ? જો પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વ ન માને તો ચરમમાં પણ ન માનવું જોઈએ. કેમકે, અન્યપ્રવેશોપ નો નીવઃ પ્રવેશત્વાત, યથા પ્રથમાહિ પ્રવેશઃ । જેમ પ્રથમાદિ પ્રદેશો પ્રદેશરૂપ હોવાથી જીવ નથી તેમ અંત્યપ્રદેશ પણ પ્રદેશરૂપ હોવાથી જીવ નથી. - પ્રશ્ન-૯૫૪ – તમારી આ પ્રતિજ્ઞા આગમ બાધિત છે કારણ કે, આલાપકમાં પ્રથમાદિ શેષ પ્રદેશો જીવત્વથી નિષેધ કરાયેલા છે. અંત્યપ્રદેશ નહિ, ત્યાં તે જીવ તરીકે અનુજ્ઞાત છે. એટલે કઈ રીતે પ્રથમાદિ પ્રદેશની જેમ એનો જીવત્વનિષેધ માનું? ઉત્તર-૯૫૪ – તે અંત્યપ્રદેશ પણ શ્રુતમાં જીવતરીકે નિષેધ કરાયો છે તે એક છે. એટલે “ો મને ! નીવ પહ્ને નીવે ત્તિ વત્તત્રં સિયા ? । નો ફળકે સમટ્ટે' તેથી જો શ્રુત તને પ્રમાણ હોય તો ચરમપ્રદેશ પણ જીવ ન માનવો. એક હોવાથી, પ્રથમાદિ અન્યતર પ્રદેશવત્, અને જો તું શ્રુતને પ્રમાણ કરે છે તો બધાય જીવ પ્રદેશો જીવત્વથી પરિપૂર્ણ શ્રુતમાં કહેલા છે માત્ર ચરમપ્રદેશ નહિ. ત્યાં કહ્યું છે- “નન્હા નું સિળે પહિપુત્રે તો સપસતુફ્ફે નીવે નીવે ત્તિ
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy