SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ કરો છો કે તેના વિના? જો ક્રિયાથી તો તે અન્યત્ર સમયે કેમ અને કાર્ય અન્ય સમયે કેમ? ખદિર છેદનની ક્રિયામાં પલાશનો છેદ થતો નથી. અને બીજું ક્રિયાના અંતે કાર્ય થાય છે ક્રિયાસમયે નહિ એમ બોલતાં તો ઉલટો કાર્યોત્પત્તિમાં ક્રિયા વિદ્ધ હેતુ છે એવું પ્રતિપાદન થાય છે. તેથી કારણ પણ અકારણ થઈ જતાં પ્રત્યક્ષથી જ વિરોધ છે. હવે ક્રિયા વિના કાર્ય થાય છે, એમ માનો તો ઘટાદિ કાર્યાર્થીઓનો સર્વ માટીમર્દન-પીંડ-બનાવવું ચચડાવવુંભમાવવું વગેરે ક્રિયારંભ નિરર્થક જ છે. એટલે મુમુક્ષુએ તપ-સંયમાદિ અનુષ્ઠાન ન કરવું કેમ કે તેના વિના પણ મુક્તિ સુખની સિદ્ધિ થાય છે. એવું તો થતું નથી તેથી ક્રિયાકાળે જ કાર્ય છે તેના અંતે નથી. પ્રશ્ન-૯૪૮– પણ માટીલાવવી-ચોળવી વગેરે ચક્રથી ઘટવિચ્છિન્નતાકરણ કાર્ય સુધીનો દીર્ઘ ઘટનિવર્તનકાળ હું અનુભવું છું. નહિ કે તમારા કહેવા મુજબ જે સમયે શરૂ થાય છે તે જ સમયે બને છે એવું અનુભવાય છે તો એ કઈ રીતે? ઉત્તર-૯૪૮ – જો કે પ્રતિસમય અન્ય-અન્યરૂપ કાર્ય કોટિઓ ત્યાં ઉત્પન્ન થાય છે તો પણ તેનાથી નિરપેક્ષ તું નિયોજન તરીકે અવિવક્ષિત હોવાથી ઉત્પન્ન થતી પણ કાર્ય પરંપરાને ગણતો નથી. કારણ કે તને ઘટમાં જ અભિલાષ છે, પ્રયોજન પણ તેનું હોવાથી પ્રધાનતયા તેની જ વિવક્ષા છે. અહીં ઘટ ઉત્પન્ન થશે, એ રીતે ત્યાં જ તારો અભિલાષ છે. એટલે પ્રત્યેક સમયે કાર્યકોટીના અદર્શક તરીકે હે જડબુદ્ધિ ! પ્રતિસમય કાર્ય સંબંધિ પણ સર્વ કાળને ઘટમાં લગાવે છે. કે આ બધો ય ઘટોત્પત્તિ કાળ છે એટલે તારો આ અભિપ્રાય મિથ્યાનુભવ છે તું એક સમયના જ ઘટોત્પતિકાળમાં ઘણા સમયપણાને ગ્રહણ કરે છે. પ્રશ્ન-૯૪૯- પ્રતિ સમય કાર્યકોટિઓ ઉત્પન્ન થતી ત્યાં કોઈ જણાતી નથી. પરંતુ વચમાં શિવક-સ્થાસ-કોશાદિ કોઈક કાર્યો જ જણાય છે એ કઈ રીતે? ઉત્તર-૯૪૯- સાચું. પરંતુ સ્કૂલ-શિવકાદિ કાર્યો જ જે પ્રતિસમયે થનારા સૂક્ષ્મકાર્યો છે તેને છબસ્થ પ્રગટ રીતે અવધારી શકતો નથી, પરંતુ પ્રતિસમય કાર્યોના ગ્રાહક એવા અનંત સિદ્ધકેવલીનાં જ્ઞાનો દરેક સમયે ઉત્પન્ન થાય છે, તે પણ ત્યાં વચમાં કાર્યો જ છે. એટલે આમ, પ્રતિસમય કાર્યકોટિઓ ઉત્પન્ન થાય છે તે ઘટે જ છે. પ્રશ્ન-૯૫૦– જો કાર્યનો દીર્ઘ ક્રિયાકાળ ન માનો, પરંતુ એક સામાયિક જ માનો તો આ ચરમસમયનો નિયમ કયો કે જેથી ત્યાં જ ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે? તેથી આ નિયમાભાવે પ્રથમ સમયે જ કેમ કાર્ય ન કરાય? કરાય જ છે. એવું કારણ જણાય છે? ઉત્તર-૯૫૦ – અકારણ કાર્ય થતું નથી, તે અંત્ય સમયે જ ઘટનું કારણ છે, પ્રથમ સમયે હોતું નથી. એટલે ત્યાં પ્રથમ સમયાદિમાંકાર્ય પણ થતું નથી. જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોય,
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy