SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૧૩૭ આ નયનો અન્ય અભિપ્રાય - ૫૮ રોતિ ઘટકાર એ પ્રરૂપણામાં જે કારણથી ઘટકર્તાની અતિરિક્ત ઘટકરવાની ક્રિયા કર્તા ઘટકારમાં જ સમવાય છે. તેથી તે કર્તાથી વ્યતિરિક્ત કુંભમાં તેનો સમવાય માન્યો નથી. કારણ કે જો કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ ઘટરૂપ કર્મમાં પણ માનવામાં આવે, તો વસ્તુઓના પર્યાયોનો પરસ્પર સંકર કે એકત્વ થઈ જાય. તેથી જે કુંભારાદિ જે ક્રિયાવિશેષથી જે કુંભાદિ કરે છે તે ક્રિયાવિશેષથી તે બધું કર્તા-કર્માદિ અભિન્ન થાય. તેથી કોંગતક્રિયાનો કર્મમાં સંક્રમ નથી. પરંતુ કુર્વનું કારક કુંભનાદિથી કુંભાદિ છે એવું સમભિરૂઢ માને છે. (૭) એવંભૂત નય - ઘટ છાયામ્ વગેરે રૂપે વ્યવસ્થિત શબ્દાર્થ જે ઘટાદિક અર્થ છે તે જ વિદ્યમાન અર્થ છે અને શબ્દાર્થના ઉલ્લંઘનથી છે. તે અવિદ્યમાન ઘટાદિ અર્થ છે. આ માન્યતાથી શબ્દ-સમભિરૂઢનયો કરતાં એવંભૂતનય વિશેષથી શબ્દાર્થતત્પર છે. આ નય સ્ત્રીના માથે ચડેલો, પાણી ભરવાદિ ક્રિયાનાં નિમિત્ત ચેષ્ટા કરતો જ ઘટ માને છે. નહિ કે ઘરના ખુણે પડેલો નિષ્પષ્ટ ઘટ. જેનાથી અર્થ વ્યંજન-પ્રગટ થાય તે વ્યંજન, એટલે પદાર્થવાચક ઘટાદિ શબ્દને ચેષ્ટાવાળો એવા વાચ્યાર્થથી વિશેષ કરે છે – તે જ ઘટ શબ્દ જે ચેષ્ટાવાળા અર્થને જણાવે. આ રીતે શબ્દનો અર્થ સાથે નિયત કરે છે. તથા અર્થને પણ વ્યંજનથી વિશેષ કરે છે. ચેષ્ટા પણ તે જે ઘટશબ્દવાચ્યત્વથી પ્રસિદ્ધ સ્ત્રીના માથે મૂકેલ ઘટની પાણી લાવવાદિ ક્રિયા. આ રીતે અર્થને શબ્દ સાથે નિયત કરે છે. આમ ઉભયને વિશેષ કરે છે. ભાવાર્થ-જ્યારે સ્ત્રીના માથે ચડેલો અને ચેષ્ટાવાન અર્થવાળો ઘટ શબ્દથી બોલાય ત્યારે તે ઘટ. તે ઘટશબ્દ અર્થવાચક છે નહિ તો અન્ય વસ્તુની જેમ ચેષ્ટાભાવે તે અઘટ છે. ઘટ શબ્દથી અવાચક છે. આમ ઉભય વિશેષક એવંભૂતનય છે. આ જ વાતને દઢ કરવા પ્રમાણથી તેની સિદ્ધિ કરે છે. પ્રયોગ :- યથાપિથાય: શક્તિશૈવધેયં પ્રતિપતિવ્યમ, તwત્યસ્વીત્ તથા મૂત gવાર્થે તતઃ પ્રત્યયમવાત, ગુમવત્ વ ા જેવો અભિધાયક શબ્દ હોય, તેવા જ અભિધેય-પદાર્થની પ્રતિપત્તિ થાય છે. કેમકે તેવા શબ્દથી તેવા જ અર્થની પ્રતીતિ થાય છે. જેમ પ્રદીપ શબ્દથી પ્રકાશમાન અર્થની અને ઘટશબ્દથી ચેષ્ટાવાનું અર્થની પ્રતીતિ થાય છે. પ્રદીપ શબ્દથી પ્રકાશવાન અર્થ જ કહેવાય છે નહિતો સંશયાદિ થાય. જેમકે જે દીપન ક્રિયાવગરનો પણ દીપ તો દીપશબ્દ બોલતા શું એણે દીપન-પ્રકાશવાન શબ્દ બોલ્યો કે અપ્રકાશક એવો અંધઉપલાદિ ? એવો સંશય થાય તે અંધોપલાદિ જ બોલ્યો છે દીપ નહિ એવો વિપર્યય થાય તથા દીપ કહેતાં અંધોપલાદિ અને અંધોપલાદિ કહેતા દીપમાં પ્રત્યયથી પદાર્થો એક અથવા સંકર થાય તેથી શબ્દથી અભિધેય અને અભિધેય મુજબ શબ્દ છે.
SR No.023132
Book TitleVisheshavashyak Bhashya Part 02
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy