SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ઉત્તર-૯૩ ના એમ નથી તમે આશય બરાબર સમજતા નથી. શબ્દોલ્લેખ સહિત વિશિષ્ટ ભાવથુતને આશ્રયીને “૬ વિUT' લક્ષણ કહ્યું છે અને જે એકેન્દ્રિયને ઔધિક અવિશિષ્ટ ભાવૠતમાત્ર શ્રુતજ્ઞાનવરણક્ષયોપશમ સ્વરૂપ છે. તે શ્રુતાનુસારિતા સિવાય પણ જો થાય તો પણ કોઈ વ્યાભિચાર નથી. પ્રશ્ન-૯૪ – જો ભાષા-શ્રોત્રલબ્ધિરહિત એવા કાષ્ટસમાન પૃથ્વી આદિ એકેન્દ્રિયોને કાંઈ પણસ્પષ્ટપણે ઉપલબ્ધ થતું ન હોવા છતાં તમે કોઈ પણ વાગાબર માત્રથી જ્ઞાન વ્યવસ્થાપન કરો છો તો કેવલજ્ઞાન સુધીના પાંચે જ્ઞાનની વિદ્યમાનતાની તેમાં આપત્તિ આવશે. સ્પષ્ટાનુપલંભના વિશેષાભાવથી એકેન્દ્રિયમાં પાંચ જ્ઞાનો છે એવું પણ કેમ ન કહેવાય? ઉત્તર-૯૪ – એવું નથી. તેઓને પાંચે જ્ઞાનો નથી, માત્ર મતિ-શ્રુત જ છે. તદાવરણવાળા અવધિ મન:પર્યાય-કેવલજ્ઞાનાવરણના ક્ષયોપમ અને ક્ષય વિના સ્વયં જાણી લેવું. કહેવાય છે કે – કેવલજ્ઞાન સ્વઆવરણ કર્મના ક્ષયથી જ થાય છે. અવધિ મન:પર્યવ ક્ષયોપશમથી થાય છે. એ એકેન્દ્રિયને નથી, તેમાં તે કાર્ય જણાતું નથી. આગમમાં પણ કહ્યું નથી તેથી તેમાં સર્વજ્ઞાનની આપત્તિ આવતી નથી. પ્રશ્ન-૯૫ – તો એમાં મતિ-શ્રુત પણ ન હોય એમ માનો શું વાંધો છે? ઉત્તર-૫– મતિ-શ્રુતાવરણ ક્ષયોપશમ તો એકેન્દ્રિયોને છે જ તે કાર્ય દેખાય છે અને આગમમાં કહેલું પણ છે તેથી તત્કયોપશમ સલ્ફાવે તેમને મતિ-શ્રુત હોય જ છે. ૨) કારણ-કાર્ય ભાવ (હેતુ-ફળ) ભેદ :मइपुव्वं सुयमुत्तं न मई सुयपुब्विया विसेसोऽयं । पुव्वं पूरण-पालणभावाओ जं मई तस्स ॥ १०५ ॥ “મધુવં સુત્ત' એ વચનથી આગમમાં “તિઃ પૂર્વ ચ તત્ મતિપૂર્વ કૃતમ્' કહ્યું છે. પણ મતિ શ્રુતપૂર્વિકા કહી નથી એટલો બંનેમાં વિશેષ છે જો મતિ-શ્રુત એક હોય તો આવો પૂર્વ-પશ્ચિાત્ ભાવ ઘટ-ઘટસ્વરૂપની જેમ નિયમા ન થાય, પણ એ પૂર્વ-પશ્ચાદ્ ભાવ અહીં છે તેથી બંનેમાં ભેદ છે. પ્રશ્ન-૯૬ – પરંતુ મતિપૂર્વક જ શ્રત શા માટે કહ્યું છે? ઉત્તર-૯૬– જે કારણથી તે મતિ શ્રતની પહેલાં જ ઉત્પન્ન થાય છે “પૂરળત્યવિ પૃધાતુ પાલન-પૂરણઅર્થની કહેવાય છે. તેનું પૌંતિ પૂર્વમ્ એમ નિપાત થાય છે તેથી શ્રુતના
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy