SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રશ્નોત્તર ૨૫૧ મહાત્કંધ એટલું કહેતા અનંતાનંત કર્મ પુદ્ગલમય મહાત્કંધ કેવલી સમુદ્યાતગત પણ મળે. કારણ કે તે પ્રસ્તુત મહાત્કંધ પણ સમાનક્ષેત્ર-કાળ-અનુભાવવાળું હોય છે, અહીં તેનાથી પ્રયોજન નથી. અચિત્તના વિશેષણથી તેનો વ્યવચ્છેદ કરાય છે તે જીવાધિષ્ઠિત હોવાથી ખરેખર સચેતન છે. મતાંતર આ પ્રસ્તુત અચિત્તમહાત્કંધ સર્વોત્કૃષ્ટપ્રદેશોથી બનેલો છે. કારણ કે એ બધી ઔદારિકાદિ વર્ગણાઓ કહીને છેલ્લે કહ્યો છે. એટલે એમ લાગે છે કે-આ જ સર્વોત્કૃષ્ટ પરમાણુ સંખ્યાથી યુક્ત છે અન્ય સ્કંધો નહિ. એટલે એના પછી સર્વ પુદ્ગલ વિશેષોની વાર્તા પૂરી થાય છે. એવું કેટલાક કહે છે. આ એકાંત નથી, આ વ્યાખ્યાન સંગત નથી. કારણ કે, ઉત્કૃષ્ટપ્રદેશ સ્કંધ પ્રતિયોગી ઉત્કૃષ્ટ પ્રદેશ સ્કંધાન્તરની અપેક્ષાએ પ્રજ્ઞાપનામાં અવગાહના-સ્થિતિદ્વારા ચતુઃસ્થાનપતિત કહ્યો છે. તથા ૨ સૂત્ર—કાસપીડિયા ધંધા વેવફા પન્નવા પuત્તા ? | गोयमा ! अणंता । से केणढेण भंते ! एवं वुच्चइ ? । गोयमा ! उक्कोसपएसिए खंधे उक्कोसपएसियस्स खंधस्स दव्वट्ठियाए तुल्ले (एकैकद्रव्यत्वात्) पएसट्ठियाए तुल्लं (उत्कृष्टप्रदेशिकस्यैव प्रस्तुतत्वात्), ओगाहणट्ठियाए चउट्ठाणवडिए, तं जहा-असंखेज्ज भाग हीणे वा, संखेज्जभाग हीणे वा, संखेज्ज गुण हीणे वा, असंखेज्जगुणहीणे वा, असंखेज्जभागब्भहिए वा, संखेज्जभागब्भहिए वा, संखेज्जगुणब्भहिए वा, अंसंखेज्जगुणब्भहिए वा । एवं ठिईए वि चउट्ठाणवडिए, वण्णगंध-रस० अट्ठहिं फासेहिं छट्ठाणवडिए । આ અચિત્ત મહાત્કંધ અન્ય અચિત્તમહાત્કંધ સાથે અવગાહના-સ્થિતિથી સમાન જ છે. એટલે જણાય છે-એનાથી અલગ જ કેટલાક પ્રજ્ઞાપનામાં કહેલા ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધો છે. જેના લીધે પ્રજ્ઞાપનામાં આઠસ્પર્શનો ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધ કહ્યો છે અને આ અચિત મહાત્કંધ ચાર સ્પર્શ માનો છો તેથી એના દ્વારા જ ઉત્કૃષ્ટપ્રદેશિક સ્કંધોની ભેદસિદ્ધિથી પૂર્વોક્તવર્ગણા મિશ્ર અચિત્ત મહાત્કંધોથી અન્ય પણ કેટલાંક ગ્રહણ કર્યા વિનાના પુદ્ગલવિશેષો હજુ પણ છે એમ શ્રદ્ધા કરવી. ફક્ત અન્ય પણ કેટલાંક ગ્રહણ ન કરેલા પુદ્ગલવિશેષો હજુ પણ છે. એમ શ્રદ્ધા કરવી. ફક્ત એટલાથી જ આખોય પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરેલો છે એવું નથી | તિ દ્રવ્યવI (૨) ક્ષેત્રવર્ગણા - દ્રવ્યવર્ગણાથી વિપરિત ક્ષેત્રવર્ગણાનો ક્રમ જાણવો. અર્થાત એકએક આકાશપ્રદેશમાં પરમાણુઓ અને કયણુકાદિ અનંતાણુક સુધીના સ્કંધો અવગાહીને
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy