SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તર-પર૫ – સાચું છે, પરંતુ ચારેય વર્ગણાઓમાં જ નિરંતર એકોત્તરવૃદ્ધિ પ્રાપ્ત થાય છે, વચ્ચે તેની ત્રુટિનો સંભવ હોતે છતે ભિન્ન વર્ગણા જ શરૂ થઈ જાય છે; અથવા વૃદ્ધિ ન તુટે અન્ય કોઈ વર્ણાદિ પરિણામ વિચિત્રતા જ તેના ભેદના આરંભમાં કારણ છે. “તત્ત્વ बहुश्रुत गम्यं' એ પ્રમાણે ચાર ધૃવાત્તર વર્ગણાઓની ઉપર ૪ તન્વર્ગણા હોય છે. એ ઔદારિકાદિ શરીરોના ભેદ-અભેદ પરિણામથી યોગ્યત્વાભિમુખ હોવાથી તનુવર્ગણા-દેહવર્ગણા કહેવાય છે. અથવા આગળ કહેવાનારા મિશ્રસ્કન્ધ અને અચિતસ્કંધની યોગ્યતાને સંમુખ હોવાથી તેને શરીર વર્ગણા કહેવાય છે. તથા બાદર પરિણામવાળો અને અનંતાનંત પરમાણુ પ્રચિત સૂક્ષ્મપરિણામવાળો જ ઈષદ્ બાદર પરિણામાભિમુખ જે સ્કન્ધ તે મિશ્ર સ્કન્ધ કહેવાય છે. અચિત સ્કંધ – જૈન સમુદ્યાતગતિથી (પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથન અને ચોથા સમયે તેના આંતરા પૂરીને સમગ્ર લોકમાં વ્યાપે) વિગ્નસાપરિણામ વશાત્ જે ચાર સમયે લોકનું પૂરણ કરે છે તે અચિત્ત મહાત્કંધ કહેવાય છે, તે અચિત્ત મહાત્કંધનું સંહરણ પણ પ્રતિલોમપણે તે ચાર સમયે જ જાણવું એ રીતે અચિત્ત મહાત્કંધ ૮ સમયનો હોય છે. પ્રશ્ન-પર૬ – અહીં પુગલોની વિચારણા ચાલે છે, તેથી પુદ્ગલમહાસ્કન્ધ અચેતન જ હોય છે, તો વ્યવચ્છેદ્યાભાવે તેનું અચિત્ત વિશેષણ આપવાથી શું? ઉત્તર-પર૬ – જૈન સમુદ્ધાતમાં જે સચેતન જીવોથી અધિષ્ઠિત સચિત્ત કર્મપુદગલમય મહાત્કંધ છે, તેને આશ્રયીને તેના વ્યવચ્છેદ માટે પ્રસ્તુત પુદ્ગલમહાસ્કન્ધ અચિત્તમાસ્કન્યા કહેવાય છે. અર્થાત્ અચિત્ત વિશેષણથી વિશેષ્ય થાય છે. કારણ કે તત્સમાનુભાવ છે. પ્રસ્તુત મહાત્કંધના ક્ષેત્ર-કાલ-અનુભાવ, કેવલી સમુદ્યાતવર્તિ કર્મપુદ્ગલમય મહાત્કંધ સમાન ક્ષેત્ર-કાલ-અનુભાવવાળા છે. જેમકે, બંનેનું ક્ષેત્ર-સર્વલોકરૂપ, કાલ-આઠ સમય, અનુભાવવર્ણ-ગલ્વાદિ સોળ ગુણ બંનેમાં સમાન છે. ભાવાર્થ-અનંતાનંત પરમાણુ પુદ્ગલોપચિત સ્કંધ કહેવાનું પ્રસ્તુત હોતે છતે જો મહાત્કંધ એટલું જ માત્ર કહેવાય તો કેવલીસમુદ્યાત ગત અનંતાનંત કર્મપુદગલમય સ્કંધ પ્રાપ્ત થાય છે. કારણ કે, પ્રસ્તુત મહાત્કંધ અને કેવલી સમુદ્યાતગત કર્મપુદ્ગલમયમહાત્કંધ સમાનક્ષેત્ર-કાલા-નુભાવવાળા છે. જેમકે-ચોથા સમયે બંનેય સકલ લોકક્ષેત્રમાં વ્યાપે છે. બંને આઠ સમય રહે છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે સોળ ગુણાવાળા પણ બંને હોય છે. એટલે
SR No.023131
Book TitleVisheshavashyak Bhashya Part 01
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherChandraprabhu Jain Naya Mandir
Publication Year2015
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy