SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र ज्वल्यमानस्फारस्फुरत्स्फुलिङ्गशतसमाकुलं कुलिशं तं प्रति मुमोच, स च भयात् प्रतिनिवृत्य भगवत्पादौ शरणं प्रपेदे, शक्रोऽप्यवधिज्ञानावगततद्व्यतिकरस्तीर्थकराशातनाभयात् शीघ्रमागत्य वज्रमुपसञ्जहार, बभाण च मुक्तोऽस्यहो भगवतः प्रसादानास्ति मत्तस्ते भयमिति । अष्टाभिरधिकं शतमष्टशतं तच्च ते सिद्धाश्च-निर्वृताः अष्टशतसिद्धाः, इदमप्यनन्तकालजातमित्याश्चर्यमिति, असंयता असंयमवन्तः आरम्भपरिग्रहप्रसक्ता अब्रह्मचारिणस्तेषु पूजा-सत्कारः, सर्वदा हि किल संयता एव पूजार्हाः, अस्यान्त्ववसर्पिण्यां विपरीतं जातमित्याश्चर्यमिति ॥२३८॥ હવે મંગલરૂપ ભગવાન મહાવીરને વિઘ્નના નાશ માટે સ્મરણ કરતાં દશ આશ્ચર્યો કહે છે. આશ્ચર્ય દશ છે - તે આ પ્રમાણે - (૧) ઉપસર્ગ (૨) ગર્ભ હરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભવ્ય પર્ષદા (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન (૬) ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાન દ્વારા અવતરણ (૭) હરિવંશકુલની ઉત્પત્તિ (૮) ચમરાનો ઉત્પાત (૯) ૧૦૮ આત્માની સિદ્ધિ તથા (૧૦) અસંયત પૂજા... મા - વિસ્મયથી પર્યન્ત = જણાય.. વિસ્મયથી જે જણાય તે આશ્ચર્ય અર્થાત્ અદભૂત ઘટનાઓ ઉપસર્જન કરાય છે, ફેંકાય છે, પતિત થાય છે પ્રાણીઓ ધર્મથી જેના વડે તે ઉપસર્ગો, અર્થાત્ દેવાદિ દ્વારા કરાયેલ ઉપસર્ગ... (૧) ઉપસર્ગ - ભગવાન મહાવીરને છબસ્થ કાળમાં તથા કેવલી કાલમાં મનુષ્ય, દેવ તથા તિર્યંચો વડે આ ઉપસર્ગો થયા છે, કેવલી અવસ્થામાં આવા ઉપસર્ગો થાય તેવું ક્યારેય પહેલા થયું નથી, કારણ કે તીર્થંકર પરમાત્મા વિગેરે અનુત્તર પુણ્યના સમૂહથી ઉપસર્ગના સ્થાન સ્વરૂપે નથી હોતા, પરંતુ સમસ્ત મનુષ્ય-દેવ તથા તિર્યંચોને માટે સત્કારને યોગ્ય જ હોય છે. તેથી અનંતકાલે થયેલ સંગમ વિગેરેના ઉપસર્ગો લોકોમાં આશ્ચર્યભૂત ગણાય છે. (૨) ગર્ભાપહાર :- ગર્ભાપહાર એટલે ગર્ભમાં રહેલ જીવનું હરણ થવું અર્થાત એક ઉદરમાંથી બીજાના ઉદરમાં સંક્રમણ કરવું. આ ઘટના પણ તીર્થકરોની અપેક્ષાએ પહેલાં નહીં થયેલ. છતાં ભગવાન મહાવીરનું ગર્ભાપહરણ થયું. ઇંદ્ર મહારાજાની આજ્ઞાથી હરિણગમેષિ દેવે, દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરથી પરમાત્મા મહાવીરના જીવનું ત્રિશલા નામની રાજપત્નીરાણીના ઉદરમાં સંક્રમણ કર્યું... આ પણ અનંતકાલે થવાથી આશ્ચર્ય કહેવાય છે. (૩) સ્ત્રી તીર્થકર :- તીર્થંકરપણાએ ઉત્પન્ન થયેલ સ્ત્રીનું તીર્થ.. દ્વાદશાંગી અથવા સંઘ પણ તીર્થસ્વરૂપ છે, સામાન્ય રીતે પુરૂષોને વિષે સિંહ સમાન... શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન, ત્રિભુવનમાં પણ અવ્યાહત સામર્થ્યવાળા પુરૂષો પ્રવર્તાવે છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના સ્વામી કુંભન રાજાની પુત્રી મલ્લિ નામની ઓગણીસમા તીર્થંકરના સ્થાનમાં ઉત્પન્ન થયા અને તીર્થ પ્રવર્તાવ્યું. આવું પણ અનંતકાલે બનતું હોવાથી આશ્ચર્ય ગણાય છે.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy