SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ अथ स्थानमुक्तासरिका વજ્ર ગ્રહણના વિષયમાં જે પ્રતિમા તે વસ્ત્ર અભિગ્રહ : (૧) પહેલાં નિશ્ચિત કરેલ કોઈપણ એક કપાસ વગેરેનું વસ્ત્ર હું યાચીશ. આ પ્રથમ અભિગ્રહ. (૨) જોયેલા વસ્ત્રને યાચીશ પણ બીજું નહીં. આ બીજો અભિગ્રહ. (૩) નીચે પહેરવા વડે - કે ખેસ રૂપે પહેરવા વડે શય્યાતરે પ્રાયઃ સારી રીતે વાપરેલ હોય એવા વસ્ત્રને હું ગ્રહણ કરીશ. આ ત્રીજો અભિગ્રહ. (૪) ફેંકવા-ત્યાગ કરવા યોગ્ય વસ્ત્રને હું ગ્રહણ કરીશ. આ ચોથો અભિગ્રહ. પાત્ર વિષયક અભિગ્રહ : (૧) નિશ્ચિત કરેલ કાષ્ઠના પાત્ર વિગેરેને હું યાચીશ. આ પ્રથમ અભિગ્રહ. (૨) જોયેલ પાત્રને યાચીશ. તે બીજો અભિગ્રહ. (૩) દાતાની માલિકીનું - પ્રાયઃ વાપરેલું. બે-ત્રણ પાત્રામાં ક્રમપૂર્વક વપરાતું એવું પાસું યાચીશ. આ ત્રીજો અભિગ્રહ. (૪) ત્યાગ કરવા યોગ્ય પાત્રને યાચીશ. આ ચોથો અભિગ્રહ. સ્થાન વિષયક અભિગ્રહ : સ્થાન = કાયોત્સર્ગ આદિ માટે આશ્રયરૂપ તે સ્થાન. (૧) તેમાં કોઈ સાધુને એવો અભિગ્રહ હોય છે કે - ‘હું અચિત્ત સ્થાનનો આશ્રય કરીશ, અને ત્યાં પગ વિગેરેનું આકુંચન અને વિસ્તાર કરવારૂપ ક્રિયા કરીશ, તથા અચિત્ત ભીંત વગેરેનું કંઈક આલંબન લઈશ. તથા ત્યાં જ થોડા પાદ વિહરવા-ચાલવાનું કરીશ. આ પ્રથમ અભિગ્રહ. (૨) અચિત્ત ભીંતના આલંબને હાથ-પગનું આકુંચન અને વિસ્તાર વિગેરે ક્રિયા કરીશ પણ ચાલવાનું નહીં કરીશ. આ બીજો અભિગ્રહ. (૩) આકુંચન અને પ્રસારણ જ કરીશ પણ ભીંત આદિનું આલંબન તથા પાદવિહરણ નહીં કરું. આ ત્રીજો અભિગ્રહ. (૪) સ્થાનમાં આકુંચન-પ્રસારણ... ભીંતાદિનું અવલંબન તથા પાદવિહાર. આ ત્રણમાંથી કશું કરીશ નહીં. આ ચોથો અભિગ્રહ. I૧૨૭ના पूर्वं शरीरचेष्टानिरोधस्योक्तत्वात्तत्प्रसङ्गेनाह— वैक्रियाहारकतैजसकार्मणशरीराणि जीवस्पृष्टानि, औदारिकवैक्रियाहारकतैजसानि कार्मणमिश्राणि, धर्माधर्मजीवपुद्गलास्तिकायैर्लोकोव्याप्तो बादरपृथिव्यम्बुवायुवनस्पतिभिरुत्पद्यमानैश्च ॥१२८॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy