SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ सूत्रार्थमुक्तावलिः કહેવાય છે. તે શ્રુતસ્વરૂપ સ્કંધ – તે શ્રુતસ્કંધ બે પ્રકારે છે. અને તે આ પ્રમાણે (૧) આચારરૂપ શ્રુતસ્કંધ (૨) આચારના અગ્રસ્વરૂપ શ્રુતસ્કંધ ! શ્રુતના ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ-સ્થાપના પ્રસિદ્ધ છે. શ્રુતપદના નામ વડે આચારાદિ શીખેલા હોવા છતાં શ્રત ઉપયોગમાં નહિ વર્તતા હોવાથી આગમથી દ્રવ્યશ્રુતનો આગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં પ્રગટ છે. અને ઉભયતિરિક્ત (બંનેથી રહિત) દ્રવ્યશ્રુત પત્ર, પુસ્તક આદિ લખેલા હોય છે. આનું દ્રવ્યશ્રુતનું) ભાવશ્રુત સાધન હોવાથી દ્રવ્ય આગમના કારણભૂત હોવાથી આત્માદિના અભાવરૂપનો આગમપણું જાણવું. ભાવશ્રુત પણ આગમથી અને નો આગમથી બે ભેદે છે. શ્રુત (સાંભળેલા) પદાર્થને જાણવા અને તેમાં ઉપયોગ રાખવો તે આગમથી ભાવઠુત. શ્રુતના ઉપયોગનો અભાવ હોવાથી. નો આગમથી ભાવશ્રુતના બે ભેદ (૧) લૌકિક (૨) અલૌકિકના ભેદથી. મિથ્યાષ્ટિઓ વડે સ્વચ્છંદ મતિયુક્ત બુદ્ધિથી કલ્પેલું જે ભારત આદિ તે લૌકિક. લોકમાં પ્રધાન એવા અરિહંત ભગવાન વડે સિદ્ધ કરાયેલ (બનાવેલું) દ્વાદશાંગી તે લોકોત્તર. અને આ ભાવકૃત વડે અહીં અધિકાર છે. (આચારાંગમાં) સ્કંધના નિક્ષેપમાં પણ ભવ્યશરીર સુધી પ્રગટ જ છે. ઉભયતિરિક્ત દ્રવ્યસ્કંધ સચિત્ત-અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત (દ્રવ્યસ્કંધ) ઘોડા, હાથી, કિન્નર, લિંપુરૂષ આદિ સ્વરૂપ અનેક પ્રકારનો. ઘોડા આદિને એક વિશિષ્ટ પરિણામ પરિણત હોવાથી તેઓમાં સ્કંધતા જાણવી... દ્ધિપ્રદેશ આદિ સ્કંધને અચિત્ત દ્રવ્યસ્કંધ અને હાથી, ઘોડા, રથ, સૈનિક, લશ્કર, તલવાર, ભાલા આદિના સમુદાય સ્વરૂપ સેનાના આદિ, મધ્યમ અને છેલ્લા સ્કંધસ્વરૂપ મિશ્રઢંધ અનેક પ્રકારનો છે. આમાં હાથી આદિનું સચિત્તપણું અને તલવાર આદિનું અચિત્તપણું હોવાથી મિશ્રતા છે. જ્યારે કૃત્ન, અકૃત્ન અનેક દ્રવ્યસ્કંધના ભેદથી ઉભયતિરિક્ત દ્રવ્યસ્કંધ ત્રણ પ્રકારે છે. અશ્વસ્કંધ, ગજસ્કંધ આદિ કૃત્નસ્કંધો, તેથી બીજા મોટા સ્કંધનો અભાવ હોવાથી. જીવ તેમાં રહેલ હોવાથી શરીરના અવયવના લક્ષણના સમૂહરૂપ અહીં કૃત્નસ્કંધ વડે વિવલિત કરાયેલ છે. અશ્વ આદિની અપેક્ષાએ ગજસ્કંધનું બૃહત્તરપણું (મોટાપણું) હોવા છતાં અશ્વાદિસ્કંધ કૃત્નસ્કંધ નથી એમ ન કહેવું. કારણ કે અહીં શરીરમાં રહેલ જીવના અસંખ્ય આત્મપ્રદેશ વડે અને અશ્વાદિ સ્કંધપણા વડે સમુદાયની જ વિવક્ષા હોવાથી અને સર્વત્ર જીવના અસંખ્ય આત્મપ્રદેશ વડે તુલ્યતા હોવાથી. (અશ્વાદિ સ્કંધ કૃમ્નસ્કંધ નથી એમ ન કહેવું.) જો જીવપ્રદેશ અને પુદ્ગલના સમુદાયનું સામ્યપણું હોવાથી વૃદ્ધિ થાય તો ગજાદિસ્કંધની પણ વૃદ્ધિ થાત. પણ તેવું નથી જ. દ્વિસ્વદેશીક આદિની જેમ અનંતપ્રદેશિક સ્કંધને સર્વે સ્કંધો અકૃત્નસ્કંધો છે, સર્વ છેલ્લા અનંત આત્મપ્રદેશ સ્વરૂપ સ્કંધને છોડીને સર્વેના અકૃત્નપણું હોવાથી, (કૃમ્ન સ્કંધ કહેવાશે.) જેનો કોઈક સ્કંધનો નખ-દાંત-વાળ આદિરૂપ દેશ જીવપ્રદેશ વડે રહિત છે તેનું અને જે દેશ પીઠ, ઉદર, પગ આદિ લક્ષણો જીવપ્રદેશથી વ્યાપ્ત છે તે તે બે દેશનાં વિશિષ્ટ પરિણામથી પરિણત દેહરૂપ જે સમુદાય તે અનેક દ્રવ્ય સ્કંધ. તે સચેતન, અચેતન અને અનેક દ્રવ્યાત્મકપણે હોવાથી, જીવપ્રદેશથી રહિત
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy