SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર (૨૫૫૪ શ્લોક પ્રમાણ) (શ્રી શીલાંકાચાર્ય કૃત ટીકા - ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ) આ આચારાંગસૂત્ર જીવનશુદ્ધિના સ્તરને ઊંચુ લાવવા માટે ખાસ સૂત્ર છે. દરેક જીવો સાથે આત્મિયભાવ ઊભો કરવો અને તે માટે છ પ્રકારના જીવોની જયણા કરવા દ્વારા આચારની શુદ્ધિ શી રીતે કરવી ? તેની સમજૂતી આ સૂત્ર આપે છે. હાલતા-ચાલતા જીવોનો જીવ તરીકે સ્વીકાર કરવો સહેલો છે પણ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ પણ જીવ છે એવી સચોટ દલીલો સાથે આ આગમમાં સિદ્ધિ કરવામાં આવી છે. એમાં તર્ક અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. { પ્રથમ શ્રુતસ્કંધ કે અધ્યયન-૧, શસ્ત્રપરિક્ષા, ઉદ્દેશ-૭ • પૂર્વભવ-પરભવ બાબતનું સંપૂર્ણ વિવરણ. • પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય-ત્રસકાય આદિ જીવોનું અસ્તિત્વ, તેની હિંસાનું વિષમફળ, હિંસામાં અંધ થયેલાનું ઉદાહરણ તથા હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ. • સમ્યક્તી જીવનું લક્ષણ-ફળ. • ત્યાગી મુનિના જીવનની વાતો. અધ્યયન-૨, લોકવિજય, ઉદ્દેશ-૬ • સંસાર ભ્રમણનું મૂળ કારણ-નિવૃત્તિ-આત્મોપદેશ. • અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનું વર્ણન. • અહિંસાનું વિસ્તૃત વર્ણન. • મદનિષેધ. (૮ પ્રકારના મદ કરવા નહીં તથા કરવાથી થતા નુકસાનો) • ભોગની ભયંકરતા, ભોગોથી થનારા રોગો, કામ-ઈચ્છાની ભયંકરતા. • આહાર કેવો લેવો? ક્યારે લેવો? ક્યો લેવો? આ બાબતોનું વિસ્તૃત વર્ણન. • અમમત્વ (કોઈ પણ વસ્તુ-વ્યક્તિ ઉપર મોહ-મમત્વ રાખવું નહીં.)નો ઉપદેશ.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy