SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તે આજ પામર અને કાયર બન્યો છે. જે સંયમ અને સત્યને પૂજક હતો, તે આજે પરિગ્રહી અને વિલાસી બન્યો છે. જે શ્રમજીવી અને બંધુત્વજવી હતો, તે આળસુ અને ક્લેશી બન્યો છે. જે વિશ્વની સમાનતાનો હિમાયતી હતા, તે સત્તાપૂજક અને સ્વાર્થોધ બન્યો છે. એમાંય આ વસ્તુની જવાબદારી મુખ્ય છે. જેન શબ્દ જે વિવેકભરી ક્રિયાશીલતા સૂચવે છે, આંતરશત્રુઓને જીતવાની જે વીરતા બતાવે છે, અને જગતના સામાન્ય જનસમૂહ કરતાં જ્ઞાન અને ચારિત્રશક્તિની જે વિશેષતા બતાવે છે તે કેટલી કેવી અને ક્યાં છે ? અન્યધર્મના જૈનત્વને અર્થ અનુયાયીઓમાં જે જિજ્ઞાસા, જે લાગણ, જે પ્રેમ જે સંગઠન દેખાય છે, તે જૈનસમાજમાં કયાં છે ? આજના જૈનસમાજનું રેખાચિત્ર દેરતાં એક સમર્થ સમાલોચક કહે છે કે “એક સામાન્ય મતભેદ ખાતર અંદરોઅંદર લડીને સાધન, શક્તિ અને સમય વેડફી નાખનાર જે કોઈ સમાજનું ચિત્ર જેવું હોય તો આજના જૈનસમાજ પર દષ્ટિ ફેંકજે.” વર્તમાન જૈન સમાજને માટે આ કેટલું શરમજનક !!! આ બધાનું કારણ વારસામાં મળેલી અસહિષ્ણુતા સિવાય અસહિષ્ણુતાને બીજું શું છે ? એ અસહિષ્ણુતા શાથી જન્મી ? વાર એ વિષય ખૂબ જ વિશાળ છે. અહીં તે હું માત્ર અંગુલિનિર્દેશ કરીશ. સર્વજ્ઞત્વની માન્યતા જૈનદર્શનના પ્રત્યેક તીર્થકર અહંન્ત, જિન અને સર્વજ્ઞ ગણાય છે. સર્વજ્ઞ એટલે ભૂત, ભવિષ્ય અને વર્તભાવભૂલ્યાની માનના પ્રત્યેક ભાવને અંજલિજલ સમાન એકીપૂજા વખતે જાણનાર અને દેખનાર એવી જેની માન્યતા છે. એવા જ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર (૩
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy