SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગેથી દુઃખ શા માટે? - પ૩ [૧૩] પરંતુ મોહથી મૂઢ થયેલા જીવો પોતાના વાસ્તવિક ધર્મને જાણી શક્તા નથી. [૧૪] આથી અનંતજ્ઞાની તીર્થકર દેવે પ્રથમથી જ કહ્યું છે કે કંચન અને કામિની (પરિગ્રહ અને અબ્રહ્મચર્ય) એ મહામહનાં નિમિત્તભૂત છે. માટે શાણા સાધકે તેવાં નિમિત્તોમાં ગાફલ બનવું નહિ. નેધ –તેરમું અને ચૌદમું સૂત્ર પદાર્થોનો ત્યાગ વૃત્તિનો સંયમ શા અર્થે છે તે સ્પષ્ટ કરી દે છે. આથી એ સિદ્ધ થયું કે વાસનાને વેગ પ્રદીપ્ત થાય તેવાં નિમિત્તોથી બચવાનો પ્રયત્ન કરવો તે તો આવશ્યક જ છે. પરંતુ તેટલેથી કંઈ પતી જતું નથી. તે વાસનાનાં મૂળને નાબૂદ કરવા માટે પણ સતત માનસિક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એટલે કે સાધકે પ્રતિક્ષણે અપ્રમત્ત રીતે જાગ્રત રહેવું જોઈએ. [૧૫] એ રીતે કુશળ પુરુષે અપ્રમાદથી મેક્ષ અને પ્રમાદથી થતા મરણને વિચારીને તથા શરીરને ક્ષણભંગુર જાણીને પ્રમાદ દૂર કરે. [૧૬] ભોગોમાં કંઈ તૃપ્તિ નથી માટે એ કશા કામના નથી. ઓ મુનિ ! કામભોગેચ્છા મહાભયંકર છે એમ વિચાર. નોંધ –આ પંદરમા અને સોળમા સૂત્રમાં વિષયોના વલણ તરફ વળતા મનને આત્મમગ્ન કરવાનો પ્રયોગ બતાવ્યો છે. [૧૭] વળી સંયમી મુનિએ કઈ જંતુને પીડા ન આપવી. નેંધ –આ રીતે ભેગવિરક્તિ અને અહિંસા એ સંચમનાં મુખ્ય અંગે બને છે. ગાઢ આસક્તિથી થતી ક્રિયા એ ભોગ છે, અને આત્મા પગ ચૂકી વૃત્તિને વહેતી મૂકવી એ હિંસા છે. આ તીવ્ર આસક્તિ અને હિંસાના વલણથી દૂર રહેવું એ જ સંયમ. [૧૮] જેઓ આ સંયમ પાળતાં કશે ખેદ નથી પામતા એવા અપ્રમાદી અને પરાક્રમી મુનિ જ વખણાયેલા છે. નેધ –અહીં સુધી જે સંચમની વ્યાખ્યા આંકી તે સંચમમાં અખંડ જાગૃત અને પુરુષાર્થી રહેવું એ આદર્શ મુનિની મર્યાદા છે. [૧૯] એ મુનિ સાધક પિતાનાં સામનિર્વાહનાં સાધને ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવે. કદાચ કોઈ આપે ન આપે તે તેના તરફ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy