SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૨. વૃદ્ધિાર [ ગાથા ૯ બેદરકારી રાખવાથી રાષ * “એ બધા કરતાં પણ, દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિ થવામાં ખાસ વિશેષ પ્રકારે કારણભૂત ઉઘરાણી કરવાની તે કાળજી ખૂબ રાખવી જોઈએ.” એટલા માટે, સાર-સંભાળ રાખનારાઓએ દેવદ્રવ્યાદિકની ઉઘરાણી , પિતાના ધનની ઉઘરાણી માફક જરાપણ બેદરકારી રાખ્યા વિના-અભગ્ન ચિત્તથી કરવી જોઈએ. જે તેમ કરવામાં ન આવે, અને વધારે વખત થઈ જાય, તેવામાં દુકાળ પડે (લડાઈ વગેરેથી) દેશની છિન્ન-ભિન્નતા થાય, દુઃખી અવસ્થા આવી પડવી, વગેરેને સંભવ થવાથી, ગમે એટલી મહેનત કરવા છતાં પણ તે નાણાં પાછા ન આવે. તેમ થવાથી (દેવદ્રવ્યાદિના) વિનાશ કરવા માટે દેષ લાગી જાય છે. જેમ મહેન્દ્રપુરના શ્રાવકેમાં બન્યું હતું મહેન્દ્રપુર નગરમાં અરિહંત ભગવાનના દહેરાસરમાં ચંદન, નૈવેદ્ય, ફુલ, ચોખા વગેરે માટે દેવ-દ્રવ્યની ઉઘરાણું કરવા શ્રી સંઘે સાર-સંભાળ કરનારા ચાર શ્રાવકેને નિયુક્ત કર્યા હતા. તેઓ સારી રીતે સાર-સંભાળ કરતા હતા. કેટલાક દિવસો બાદ ઉધરાણી કરતી વખતે જેવા તેવા વચન સાંભળવા વગેરેથી મનમાં દુઃખી થઈ (કંટાળી જઈ) મુખ્ય સાર-સંભાળ કરનાર પિતે જ કાળજી રાખવામાં ઢીલા થઈ ગયા હતા. તેથી બીજા પણ ઢીલા થઈ ગયા. કારણ કે – “મુકયા-6નુયાયિની ચવદવા ” “પાછળના લોકે હમેશા મુખ્ય કામ કરનારને અનુસરનારા હોય છે.” : તેવામાં અકસ્માત દેશની છિન્ન-ભિન્નતા વિગેરે થવાથી દેવ-દ્રવ્ય ઘણું નાશ પામ્યું. તે કારણે, બળ અને શક્તિ છતાં પ્રમાદથી તે છુપાવી રાખવાથી, પાપની પરંપરા ચાલવાથી તે (આગેવાન શ્રાવક) અસંખ્યતા ભવ સુધી સંસારમાં ભમ્યા હતા.” * આ રીતે– દેવાદિક માટે શ્રાવકાદિકથી મળવાનું દ્રવ્ય તરત જ ઉઘરાણી વિગેરે કરીને ઉત્સાહ પૂર્વક સુ-શ્રાવકે એ મેળવી લેવું જોઈએ. અને પિતાને પણ દેવાદિક દ્રવ્યનું કંઈ પણ દેવું હોય, તે જાતે પણ તરત જ આપી દેવામાં ક્ષણવાર પણ ઢીલ કરવી ન જોઈએ. વિવેકી પુરુષોએ બીજાને દેવાનું હોય, તે દેવામાં પણ સર્વ પ્રકારે વિલંબ કરવાનું નથી, તે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વિગેરે દેવાની બાબતમાં તે પુછવું જ શું? (ઢીલ થાય જ કેમ?) એ પ્રમાણે છે, તેથી, જેણે જ્યારે જેટલા ધનથી માળ પહેરવી વગેરેમાં જે કાંઈ (કબુલ) કર્યું હોય, તેને લગતું દેવાદિનું દ્રવ્ય જે કાંઈ આપવાનું
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy