SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૮] ગુણપત્તિ અને લક્ષણથી બજના ભિન્નતા (ખના અને બંજિત કરે છે, જેમ દીવ પોતે પ્રકાશતો રહી બીજ પદારથ પ્રકાશિત કરે છે. જ્યાં અર્થ પોતાની પ્રતીતિને તિરસ્કાર કર્યા વગર, એટલે કે તેને કાયમ રાખીને, બીજા અર્થને બંધ કરાવતું હોય, ત્યાં અને લક્ષણા માનવામાં આવે, તે તે લક્ષણ જ શબ્દનો મુખ્ય વ્યાપાર બની જાય. કારણ, સામાન્ય રીતે બધાં જ વાક્યો વાઓ ઉપરાંતને કેઈક તાત્પર્યવિષયક અર્થ વ્યક્ત કરતાં હોય જ છે. અહીં સામાવાળો એવો પ્રશ્ન ઉઠાવે છે કે તમારા મનમાં પણ જ્યારે અર્થ ત્રણ પ્રકારના વ્યંગ્યાર્થિને પ્રગટ કરે છે, ત્યારે શબ્દનો કે વ્યાપાર હોય છે? પ્રશ્નકર્તાને આશય એ છે કે અર્થને બોધ કરાવવામાં શબ્દના બે જ વ્યાપારો છેઃ મુખ્ય અને અમુખ્ય. એ સિવાય કોઈ ત્રીજે વ્યાપાર નથી. એમાં જે મુખ્ય વ્યાપાર છે એને વાચકવ અથવા અભિધા વૃત્તિ કહે છે અને અમુખ્ય વ્યાપાર છે તેને ગુણવૃત્તિ કહે છે. તો તમારા મતમાં જ્યારે એક અર્થ બીજ અર્થને બધ કરાવે છે, જેને તમે વિવિધ સંસ્માર્ય કરે છે, ત્યારે ત્યાં કેવો વ્યાપાર હેય છે, મુખ્ય કે અમુખ્ય ત્યારે હિતી કહે છે કે એને જવાબ એ છે કે પ્રકરણાદિવિશિષ્ટ શબ્દને કારણે જ અને એવું વ્યંજકત્વ પ્રાપ્ત થાય છે, એટલે ત્યાં શબ્દની ઉપયોગિતાનો ઈન્કાર શી રીતે થઈ શકે? મતલબ કે શબ્દની મુખ્ય વૃત્તિ જ ત્યાં કામ કરતી હોય છે. પણ અને અમે અભિધા નથી કહેતા. કારણું, અભિધા કરતાં એની સામ - જુવે છે. અભિધામાં સંતગ્રહણ એ સામગ્રી છે, જ્યારે અહીં પ્રકરણાલુિં જ્ઞાન એ સામગ્રી છે. બીજા અર્થને બોધ કરાવતી વખતે અર્થ શબ્દની મદદ લે છે, પણ તેની સાથે પ્રકરણદિની મદદ પણ હોય છે. અને એ છે એમાં થાય છે, ત્યારે વ્યંગ્યાર્થીને બેધ થાય છે. આમ, એમાં શબ્દને પગ છે એને ઇન્કાર ન થઈ શકે, પણ અભિધા કરતાં અા વ્યાપ એની સામગ્રીને કારણે જુદા પડે છે, એટલે એને અમે બંજના એવું છું નામ આપીએ છીએ.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy