SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] પ્રબંધનો તુ જતા પ્રેમધની જકતા હવે, અસ લક્ષ્યક્રમનિ રામાયણ મહાભારત વગેરેમાં પ્રખ’ધગતરૂપે વ્યક્ત થાય છે, એ તે જાણીતુ છે. એ શી રીતે પ્રગટ થાય છે તે હવે બતાવવામાં આવે છે. [ ધ્વન્યાલા મતલબ કે રસાદિ ધ્વનિ જેમ પદ, વાકય વગેરેમાંથી વ્યંજિત થાય છે તેમ સમગ્ર પ્રબંધમાંથી પણ વ્યંજિત થાય છે. સૌ કોઈ જાણે છે કે રામાયણુ, મહાભારત વગેરે મહાવાકયોમાંથી રસાધ્વિનિ વ્યંજિત થાય છે. પ્રબંધને મહાવાકય કહેવામાં આવે છે, એને અર્થ એ છે કે વાકયમાં જેમ પદી આકાંક્ષા, યેાગ્યતા અને સન્નિધિથી સમન્વિત થઈ ને એક અને વ્યક્ત કહે છે, તેમ આખા પ્રબંધના પણ ભિન્ન ભિન્ન અશા અપરિહા બનીને આવવા જોઇએ અને તે બધા અંશા વચ્ચે પૂરેપૂરું ઔચિત્ય કેવું જોઈએ અને તે બધા સારી રીતે એકબીજા સાથે પ્રથિત થઈ તે એકવ પામેલા હેાવા જોઈ એ – આખા પ્રબંધ એક વાકય અનેàા હોવા જોઈ એ. પ્રાધ રસના અભિગ્જક બની શકે એ માટે આનંદવન પાંચ વસ્તુએની આવસ્યકતા માને છે, જે હવે પછી આવતી પાંચ કારિકાઓમાં ગણાવેલી છે, અને તે દરેક ક્રમાનુસાર મહત્ત્વ ધરાવે છે; એટલે કે પહેલીનું મહત્ત્વ સૌથી વિશેષ છે, બીજીનું તેથી સહેજ એછું છે, એમ ઉત્તરોત્તર સમજવું. એ પાંચ કારિકાએ આ પ્રમાણે છે પ્રણયમાં સાચવવાનાં મોચિત્ય - ૧૦ કથા ઐતિહાસિક હોય કે કલ્પિત હાય પણ તેનું શરીર વિભાવ, ભાવ, અનુભાવ અને સ'ચારીના ઔચિત્યથી સુંદર અનેલું હોવું જોઈએ. ૧૧ ઇતિહાસને અનુસરવા જતાં રસને પ્રતિકૂળ એવી કાઈ સ્થિતિ આવતી હોય તેા તેને છેડી દઈ ને વચમાં મીજી રસને અનુકૂળ સ્થિતિ કલ્પીને કથાના ઉત્કર્ષ સાધવા.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy