________________
૮૮
ચૌદ ગુણસ્થાનક ભાd-3
सिद्धिमूले धनबुद्धि: मतिमतां 'धर्म एव धनम्' इति परिणामरुपा निरन्तरं निवेशनीयेति ।
આ કથન દ્વારા તે મહાપુરૂષો એમ પણ માને છે કે“બુદ્ધિશાળી આત્માઓને, સક્લ ઇચ્છિત વસ્તુઓની સંપૂર્ણ સિદ્ધિ માટે મૂલ સમાં મૃત અને ચારિત્ર રૂપ ધર્મમાં જ ધનબુદ્ધિ હોય છે : માટે- “ધર્મ એ જ ધન છે' –એવી મતિ નિરંતર હૃદયમાં સ્થાપન કરવા યોગ્ય છે.”
આ બધા ઉપરથી સ્પષ્ટ જ છે કે-સમ્યગદ્રષ્ટિ આત્મા પાપની વાસનાઓથી અલગ જ ભાગતો અને પુસ્યયોગે આવી પડતી સંપત્તિનો યોગ્ય સદુપયોગ નિરંતર કર્યા કરવાની તેનામાં વૃત્તિ હોયપણ હૃદયથી અધિક અધિક પદ્ગલિક ભાવોની ઇચ્છા તે ન જ કર્યા કરે. જો પીગલિક ભાવોની ઇચ્છામાં તે પણ વધારો કરવા માંડે, તો પરિણામે તેની પણ ધર્મભાવના જોઇએ તેવા પ્રમાણમાં ટકી શકે નહિ ? અને એ લાલસાના યોગે તે આત્મામાં પણ લોભ, મમતા, અનીતિ, પ્રપંચ વિગેરે વધે અને છેવટે આત્મા દુર્ગતિગામી પણ થાય. માટે મોક્ષના અર્થી આત્માઓએ તો પાપજનક પૌગલિક વાસનાઓથી સદા દૂર જ રહેવાનો શક્ય પ્રયત્ન કર્યા કરવો જોઇએ : અને તેમ થાય તો આત્મા અપૂર્વ શાંતિનો ભોગવટો કરી શકે. આ રીતિએ ઇચ્છાનો રોલ કરવા છતાં પણ, કદાચ પુણ્યના યોગે વિપુલ પણ ધનસંપત્તિ પ્રાપ્ત થવા જોગો અવસર આવશે, તો પણ તેનો સદુપયોગ જ કરાશે અને તેવો અવસર નહિ આવે તોયે આનંદ જ રહેશે, પણ ગાંડો હર્ષ કે ગાંડો શોક નહિ જ થાય. જો આ દશા આવે, તો શાસન પ્રત્યેનો ભક્તિભાવ કાયમ ટકી રહે. આવો સંતોષ આવે તો પ્રભુભક્તિ, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણ વિગેરે વિગેરે સઘળું જ આનન્દપૂર્વક થાય ! એ ક્રિયાઓના યોગે પાપનો નાશ થાય, પુણ્ય જાગે અને