________________
૮૬
ચૌદ ગુણસ્થાનક ભાર્ગ-૩
-
-
જવાને કારણે, સંયોગોની વિપરીતતાના યોગે અગર તો પોતાની ક્યતાકાત વિગેરેને લઇને તેને પાપ કરવું પડે, તો પણ કિંચિત્ કરે ? એટલે કે-બને એટલું ઓછું જ કરે અને તે કિચિત પ્રમાણમાં કરતાં પણ તેનું હૈયું કરે. પાપ ઘટે ક્યારે ?
કિંચિત પાપ થાય અને વધારે ન થાય, એ ક્યારે બને ? કહેવું જ પડશે કે-પદ્ગલિક પદાર્થોની જરૂરીયાત નિરૂપાયે અને ઓછી જ મનાય ત્યારે ! લક્ષ્મી આવે એની તેવી ફકર નહિ: શ્રી ધનાજી પગ મૂકતા ને નિધાન નીકળતા ઃ એ રીતિએ પ્રયત્ન અલ્પ છતાં પણ પુણ્યના યોગે હજારો મળે, એની વાત જૂદી છે : એ રીતિની પ્રાપ્તિ થઈ જાય તો સદુપયોગ કરાય, અનેક આત્માઓ મોક્ષમાર્ગી થાય તેવી યોજનાઓ કરાય, પણ શ્રાવકને ધનની ઇચ્છા કેવી અને કેટલી હોય ? –એ ખાસ વિચારવા જેવું છે. સખ્યદ્રષ્ટિ એવું એવું જરૂરી ન જ માને, કે જેથી પાપની પરંપરા વધે ! એ તો પાપભીર હોય ? અને તેનામાં પાપભીરુતા હોવાને કારણે તે આત્માને પાપને આદરપૂર્વક સેવવાની વાસના જ ન થાય, તે તદન સ્વાભાવિક છે. ધર્મી આત્મામાં દ્રવ્યના વિષયમાં સંતોષની પ્રધાનતા હોવી જોઇએ. તે આત્મામાં ધનનો લોભ કરી શકાય, એવી વૃત્તિ નહિ હોવી જોઇએ. શ્રાવકની ધનેચ્છા કેવી ?
ઉત્તમ શ્રાવકની એ વૃત્તિને બતાવવાને માટે સુવિહિતશિરોમણિ, આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમન મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે