________________
–
–
–
–
–––
–
–
–
–
–
–
–
–
–
–
–––
–
હયાતીએ કોઇપ અને આકૃનિ હોત તો એનું મનો
૭૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-3 – હયાતીએ કોઇનુંય જ્ઞાન થતું નથી.
જેમ ઘટમાં રૂપ અને આકૃતિ છે તો એનો સાક્ષાત્કાર થાય છે, પરન્તુ આકાશવત્ એ જે રૂપરહિત હોત તો એનું પ્રત્યક્ષ ન થઇ શકત, તેમ જેનું ધ્યાન કરી લેવાનું છે અને અત્તે જેનો સાક્ષાત્કાર કરી જે સ્વરૂપ બનવાનું છે, તેનો જો આકાર કિવા તેમાં રૂપ ન હોત તો હરગીજ તેનું ધ્યાન શક્ય નથી.
જેમ આપણા માટે આકાશ પ્રત્યક્ષ શક્ય નથી, કારણ કેએ રૂપરહિત છે, તેમ પ્રભુધ્યાન પણ અશક્ય છે. યદ્યપિ એઓ સર્વથા નિરંજન અને નિરાકાર છે. તથાપિ એમના ધ્યાનની સર્વથા અશક્યતા કે અસંભાવના ન થઇ જાય તે ખાતર પણ, સ્વયં એ પ્રભુ તથાવિધ હોવા છતાંય આપણી જ છે કે-આપણે તેમનો સાક્ષાત્કાર કરવા અને તેમના તુલ્ય થવા ખાતર તેમના બિંબમાં તે તે પ્રકારે સદ્ભૂત આરોપ કરવો-એમને જ સાક્ષાત્ માનવા, સ્વીકારવા અને પૂજવા. એમના રૂપમાં એવી અદ્ભુત શક્તિ રહેલી છે કે-એમના દર્શન માત્રથી જ અરૂપિ પદવી પ્રાપ્ત થાય. એમની આકૃતિમાં જ એવું અજોડ સામર્થ્ય છૂપાયેલ છે કે એમના સ્પર્શન અને સાદર પૂજન માત્રથી જ નિરાકારતા પ્રાપ્ત થાય. આ જ એક અનેરી અજાયબીભરેલી ખૂબી છે, પણ એ તો ભાગ્યવંતો જ કળી શકે. બીજા બેઠા વા ખાય, પામેલું હારી જાય.
પલ્લીન્થ એ જિનાયતન અન્યદા મ્લેચ્છ સેન્ચે અકસ્માત આવી ભાંગી નાંખ્યું. જેમ સ્વપુણ્યને પાપિઓ વેડફી નાખે તેમ. અધિષ્ઠાયક અતીવ પ્રમાદી હતા, જેથી તે કારણે ભગવંતની પ્રતિમાને કે જે ચૈત્યના એક અલંકારભૂત હતી તેના સાત ખંડ થઇ ગયા.
યદ્યપિ પલિસ્થો જાતે ભિલ્લો હતા અને તત્વજ્ઞાનરહિત હતા, તથાપિ આમ નીરખવાથી તેઓનું ચિત્ત ખૂબ જ ઉદ્વિગ્ન, ખિન્ન અને ગમગીન થઇ ગયું. તેઓ ચિંતાસાગરમાં ડૂબી ગયા.