SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ ગુણસ્થાનક ભા -3 ૭૫ એ નિયમોનું ખડા થતા વિપ્નોનો સામનો કરી વિજય મેળવી, પરિપૂર્ણ પાલન કરવાની આવશ્યક્તા છે. જેમ પેલા મહાનુભાવ સુશ્રદ્વાળુ શ્રાવકે કર્યું તેમ. માલવ નામક (માળવા) દેશ છે. તેમાં શ્રી મંગલપુર નામનું નગર હતું. તત્સમીપે એક પલ્લી હતી, જે હજારો વિકરાલ રૂપધારિ ભિલ્લોથી સમાગુલ હતી. એ પલ્લીમાં કોઇ મહાનુભાવે કરાવેલું એક મનોરમ ચૈત્ય હતું. એ સુરમ્ય મન્દિરમાં ચતુર્થતીર્થેશ શ્રી. અભિનન્દન સ્વામિની પ્રતિમા બીરાજમાન હતી. પ્રભુજીની પ્રતિમા અતીવ અતિશયિની, ચમત્કારિણી અને શાન્તરસના અમૃતતુલ્ય. નિઃસ્યદોને ઝરનારી, તેમજ દર્શન માત્રથી જ સંચિત પાલિકોને હરનારી હતી. વીતરાગતા દાખવતી ત્રિભુવનપતિની મૂર્તિ કયા કમનશીબને આનંદ તથા હર્ષપ્રદા ન બને ? જે નિષ્ણુણ્યક ભાગ્યહીનો હોય, તેઓને જ ભગવન્તની શાન્ત-રૂચિમચપરમાણુઘટિત અનુપમ પ્રતિમા સુખપ્રદા ન બને. પરન્તુ એમાં દોષ એ કમભાગિઓનો જ છે. જેઓ આવી અમીરસઝરતી પ્રતિમા નિહાળી ન શકે, નીરખીને હર્ષ-આનંદ પામી ન શકે, જે પાપિઓને કાળી નાગણ સમાન કે ક્રૂર રાક્ષસી સમાન માયાકુલમન્દિર ગૃહદેવીનું કાળું મુખ નિરખવું રુચે છે, એણના ફેટા સાથે લઇ ક્રવાનું ગમે છે, તે હતભાગિઓને કેવલ વીતરાગતાદ્રાવક અને પાવિત્ર્યકારક પ્રભુની પ્રશાન્ત મુદ્રાએ વિરાજિત પ્રતિમાનું દર્શન રુચિકર નિવડતું નથી, તે ગુરુકમિ જીવોનું પાપ-નામ પણ કોણ લે ? અનાલમ્બન-ધ્યાન કરવાની દશા હજુ ઘણી છેટે છે. તે માટે તો હજુ કેટલાય ભવો કરવા પડશે, એ સમજવાની જરૂર છે. જો નિરંજન અને નિરાકારનું જ ધ્યાન કરવું હોય, તો તે આ દશામાં સર્વથા અશક્ય છે. વિના વિષયની
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy