________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
–––––––––––––––––––
PણEO
પાંચમું – શવિરતિ ગુણસ્થાનક
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ઉપશમ પામે છે તે ઉપશમ સમકીતની સાથે જ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકને પામી શકે છે. આથી જે જીવો ઉપશમ સમકીત પામી ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનકે અટકી જવાના હોય એ જીવોને પહેલા ગુણસ્થાનકે સાતે કમની સ્થિતિ સત્તા અંતઃ કોટાકોટી સાગરોપમની હોય છે તેના કરતાં જે જીવો ઉપશમ સમકતની સાથે જ દેશવિરતિના પરિણામને પામનારા હોય છે તે જીવોને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિમાંથી સંખ્યાના પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જ તે જીવો દેશવિરતિ રૂપે પાંચમા ગુણસ્થાનકને પામી શકે છે. એવી જ રીતે કર્મગ્રંથના મતના અભિપ્રાયે કે સિધ્ધાંતના મતના અભિપ્રાયે ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ