________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
૬૧
સાંભળતો હોય યા સાંભળવા છતાં સમયધર્મને નામે વિરોધ ઉઠાવતો હોય, તો કહેવું જ પડશે કે તે નામનાજ શ્રાવકો કહેવાય. જેમ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ કહેવાય, ક્ષત્રિયના કુળમાં ઉત્પન્ન થયેલ ક્ષત્રિય કહેવાય તેમ શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા પ્રાણીને શ્રાવક જ કહી શકાતો નથી, કારણ કે-શ્રાવકપણા વિશેષનું કારણ ક્રિયા છે. આથી એમ ન સમજવું કે-શ્રાવક કુળ નકામું છે. કારણ એ છે કે-ઉત્તમ કુળના મહિમાને લઇ ઘણે ભાગે ધર્મપ્રાપ્તિ સુલભ છે એથી કામનું છે છતાં શ્રાવક તો ત્યારે જ કહેવાય કે નિરંતર જિનવચનનું શ્રવણ કરે.
આથી બીજી વાત પણ સ્પષ્ટ થાય છે કે- શ્રતોતિ તિ શ્રાવ: રૂતિ વ્યુત્પત્તિ કરી જો કોઇ એમ માને કે ગમે તે એટલે અર્થકામની પુષ્ટિ કરવાવાળાં જે વચનો અથવા અર્થકામની પુષ્ટિવાળાં કાવ્યાદિકને અસર્વજ્ઞનાં વચનોનું શ્રવણ કરવાથી પણ શ્રાવક બની શકાય, અને તે ધર્મસ્થાનકે તેવા વચનો બોલવામાં, બોલાવવામાં ને સાંભળવામાં સાધુ અથવા શ્રાવકોને કંઇ બાધા કરતા નથી, આવું બોલનાર સાધુઓ અથવા શ્રાવકો પ્રભુની આજ્ઞાથી વિપરિત બોલનાર છે, એમ કેમ ન કહી શકાય ? અર્થકામની પુષ્ટિવાળાં જે વચનો તથા અસર્વજ્ઞોનાં જે વચનો તે મોક્ષ અર્થ સાધનાર નહિ હોવાના કારણે, તેનું જે શ્રવણ તે અનુચિતા છે, માટે મોક્ષાર્થી ભવ્ય પ્રાણીએ તેવાં વચનો ન સાંભળવાં જોઇએ. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે નિરંતર જિનવચનનું શ્રવણ કરે ત્યારે શ્રાવક કહી શકાય. જિનવચનનું કથન પણ એવાં પ્રકારનું હોવું જોઇએ કે જે પરલોકમાં હિતકારી થાય. જિનાગમોમાં તમામ વસ્તુઓનું નિરૂપણ છે. સાંભળવાનું પણ તે કહ્યું કે જે પરલોકમાં હિતકારી હોય. જિનવચનોને આરાધવાથી જ પરલોક અનુકુલ થાય છે. વળી પરલોકમાં હિતકારી એવું જિનવચનનું શ્રવણ