________________
----
-
--
-
-
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૪૫
- ધનનો નાશ થઇ ગયો હોય, ચિત્તમાં ભારે સંતાપ વ્યાપ્યો હોય, ઘરમાં પોતાના સ્વજનોનું દુરાચરણ હોય, કોઇપણ સ્થળે પોતે ઠગાયો હોય, તેમજ અપમાન થયું હોય તો જાહેર ન થાય.
ચોથું અણુવ્રત
મિથુન એટલે જોડેલું તેની જે પ્રવૃત્તિ તેનું નામ મૈથુન બધા અધર્મ કાર્યોનો આરંભ મૈથુનને લીધે જ થાય છે.
દુર્ગતિરૂપી ભૂમિકા પર બંધાયેલાં મોટા ઘરને ટકાવી રાખવા માટે મૈથુન એક સ્તંભ સમાન છે.
પ્રમાદને દૂર કરવા માટે સમકિતમાં અનુરાગ રાખવો, ઇન્દ્રિયોના વિષયોમાં વિરાગ કેળવવો, સુતપસ્વીજનો પ્રત્યે ભક્તિભાવ દર્શાવવો, અને પાપ કૃત્યોથી નિવૃત્તિ મેળવવી, પ્રતિદિન સદ્ગુણોનો અભ્યાસ વધારવો, હંમેશા મૃત્યુનો અવિશ્વાસ રાખવો, સંસારમાં થતાં ભાવોનો વિચાર કર્યા કરવો તેમજ સૂત્ર અને અર્થનું શ્રવણ કરવું. આ સર્વ એકાગ્રચિત્તે કરવાથી સંસારના પ્રપંચો વારંવાર સતાવી ન શકે.
સમ્યગ જ્ઞાન
શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ માવે છે કે
પીયુષમસમદ્રોë રસાયન મનીવચમ્ | અનન્યો પેક્ષ મેશ્વર્ય જ્ઞાનમાહુર્મનીષિણીમ્ II ભાવાર્થ - સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું એવું છતાં જ્ઞાન એ અમૃત છે. ઔષધોના પ્રયોગથી નહિ બનેલું છતાં જ્ઞાન એ રસાયણ છે. અને અન્યની અપેક્ષાવાળું નહિ છતાં જ્ઞાન એ ઐશ્વર્ય છે. એમ બુદ્ધિશાળીઓ માને છે.