________________
૪૦
ચોદ ગુણસ્થાનક ભા.-૩ ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની. સિદ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી.
માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે.
શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વપ્રની વાતધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાત એ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે.
છળ, કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિદ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિધાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે. શ્રાવકના બાર વતોની સામાન્યથી વર્ણન
હવે પાપ તિમિરને ભેદવામાં સૂર્ય સમાન અને સમ્યકત્વની રાશિ સમ શ્રાવકના બાર વ્રત આરાધવા લાયક છે. તેમાં નિરપરાધી ત્રસ જીવોની હિંસા કે અંગ પીડાના રક્ષણ રૂપ પ્રથમ અહિંસા નામે શ્રાવકોનું અણુવ્રત છે. સુકૃત-કમળમાં હંસિ સમાન અતિ નિર્મળ એ અહિંસા ભવ-મોક્ષરૂપ નીર-ક્ષીરનો વિવેક બતાવવાને સેવનીયા છે. પૃથ્વી અને સ્વર્ગના ભાગોની સુખ સંપત્તિ રૂપ સોપાન પંક્તિ યુક્ત એ અહિંસા મોક્ષ ગમન પર્યંત નિ:શ્રેણિ (નિસરણ) રૂપ છે.
(૨) સત્યવ્રત - અહિંસા રૂપ લતાને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન મૃષાવાદ વિરમણ વ્રત પણ ભવ્યોના ભવનો અંત લાવે