________________
૩૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
એ ચાર પ્રકારના દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે, તે આ પ્રમાણે – (આ ભાંગામાં એકડો હોય ત્યાં દેશથી સમજવું ને બગડો હોય ત્યાં સર્વથી સમજવું)
પ્રથમ પ્રકારના પૌષધના બીજા પ્રકારના પૌષધ સાથે ૪ ભાંગા થાય. ૧-૧ ૧-૨ ૨-
૧ ૨ -૨ પ્રથમ પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ૧- ૧ ૧ -૨ ૨-૧ ૨-૨
એ જ પ્રમાણે ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા સમજવા. બીજા પ્રકારના પૌષધના ત્રીજા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. બીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય. ત્રીજા પ્રકારના પૌષધના ચોથા પ્રકાર સાથે ૪ ભાંગા થાય.
આ પ્રમાણે દ્વિસંયોગી ૨૪ ભાંગા થાય છે. હવે મિક્સયોગી ૩૨ ભાંગા થાય છે, તે આ પ્રમાણે -
આહાર શરીર સત્કાર બ્રહ્મચર્ય
આ પ્રમાણે પહેલા, બીજા ને ચોથા સાથે ૮ એ જ પ્રમાણે પહેલા, ત્રીજા અને ચોથા સાથે ૮