________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૭૭ – –
–
–
–
–
–
–
–
–
–
–
આનંદમુનિ બોલ્યા- “વત્સ આ સોપાન ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ કર. તેની બાહર સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે. તેની આસપાસ બાર-પંચાશી અને તેર કિરણો ચલકતા દેખાય છે, પણ ઉપર જાતાં તેઓ તદન અદ્રશ્ય થયેલા માલમ પડે છે. જો આ સોપાનના શિખર ઉપર એક જ્યોતિનો મહાન ગોળો દેખાય છે. આ દેખાવની સૂચના એટલી બધી મનોહર અને સુબોધક છે કે, જે જાણવાથી તારો આત્મા આનંદસાગરમાં મગ્ન થઇ જશે.”
મુમુક્ષુએ કહ્યું, “મહાત્મન્ , તે સૂચનાઓ મને સત્વર સમજાવો તે જાણવાને હૃદય ઉત્કંઠિત બને છે.”
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાનપર આરૂઢ થયેલા અયોગી પરમાત્મા પોતાના અંતસમયે એકવેદની, આદેયનામ, પતિનામ, કસનામ, બાદરનામ, મનુષ્યાયુ, ચશનામ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સૌભાગ્ય, ઉચ્ચગોત્ર, પંચેદ્રિયત્વ, અને તીર્થંકર નામ આ તેર પ્રકૃતિનો ક્ષય કરી તે જ સમયે સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. તે સિદ્ધ પરમેષ્ટી સનાતન ભગવાન શાશ્વત લોકાંત પર્યત જાય છે. જે આ સુકાઇ ગયેલા તેર પુષ્પો પડેલા છે, તેમાંથી એ તેર પ્રકૃતિની સૂચના થાય છે.”
વત્સ, જે આ બાર ચળકતા કિરણો દેખાય છે. તે આ સોપાન પર આવેલા અયોગી મહાત્મા બાર પ્રકૃતિ વેદે છે, તેની સૂચના છે. આ સોપાન ઉપર આવેલ જીવ પોતે અબંધક છે, તે એક વેદની, આદેય, યશ, સુભગ, ત્રણ ત્રસ, પંચેદ્રિયન્ત, મનુષ્ય ગતિ, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને તીર્થંકર નામ આ બાર પ્રકૃતિ વેદે છે. જે આ તેર અને પંચાશી કિરણોનો દેખાવ છે. તે એવું સૂચવે છે કે, અહીં અંતના બે સમય પહેલાં પંચાશીની સત્તા રહે છે અને ઉપાંત્ય સમયમાં તેર પ્રકૃતિની સત્તા રહે છે. અને છેવટે અંત સમયે તે સત્તા રહિત થાય છે. જેમાં અયોગી સિદ્ધ ભગવાન