________________
393
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ –––––––––––––––––– શુક્લધ્યાનના ૪થા પાયા ઉપર આરૂઢ થાય છે. (સર્વ વસ્તુગત સમુછિન્ન ક્રિક્યા અનિવૃત્તિ) પછી કોઇપણ પ્રયત્ન વિના ઉદય આવેલ કર્મોનો ભોગવવા વડે ક્ષય કરે છે અને જેનો ઉદય નથી તેને વેધમાન પ્રકૃતિમાં સ્તી બુકસંક્રમ વડે સંક્રમાવતો ને વેધમાના અનુભવતો આ ગુણસ્થાનકના ઉપાંત્યસમયે સત્તામાં રહેલી ૮૫ પ્રકૃતિઓમાંથી ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓનો નાશ કરે છે. વેદનીય - ૧, ગોત્ર -૧, નામ - ૭૦ = ૭૨
૭૧ = ૭૩ શાતા અથવા અશાતા વેદનીય-નીચગોત્ર-દેવગતિ-પાંચ શરીર-૩ અંગોપાંગ-પ બંધન-પ સંઘાતન-૬ સંઘયણ-૬ સંસ્થાન-૫ વર્ણ-૨ ગંધ-પ રસ-૮ સ્પર્શ-દેવાનુપૂર્વિ-૨ વિહાયોગતિ-પરાઘાતઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુસ્વરઅપર્યાપ્ત અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય અને અશય આ ૭૨ પ્રકૃતિઓ તેમાં મનુષ્યાનુપૂર્વી દાખલ કરતાં ૭૩ પ્રકૃતિઓ થાય છે. આ પ્રકૃતિઓનો નાશ થયે છેલ્લે સમયે જેનો ઉદય વિદ્યમાન છે એવી ૧૨ અગર ૧૩ પ્રકૃતિઓનો (શાતા અથવા અશાતા વેદનીય-ઉચ્ચગોત્ર-મનુષ્ય આયુષ્ય-મનુષ્યગતિપંચેન્દ્રિય જાતિ-જિનનામકર્મ-કસ-બાદર-પર્યાપ્ત-શુભગ-આદેય અને યશ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૧૩) સત્તામાંથી નાશ કરે છે.
ત્યાર પછીના સમયે જુગતિએ બીજા સમયને નહિં સ્પર્શતો તેજ સમયે જેટલા આકાશ પ્રદેશની અવગાહના છે તેટલા જ આકાશ પ્રદેશને અવગાહતો સિદ્ધ અવસ્થાના પહેલા સમયે લોકાંતે જાય છે અને ત્યાં શાશ્વતકાળપર્યત તેજ સ્થિતિમાં રહે છે.
ઉર્ધ્વગતિ સ્વભાવ વડે, પૂર્વ પ્રયોગ વડે, બંધન છેદ વડે આસંગ તજવા વડે આ ચાર દ્રષ્ટાંતે લોકાંતે જાય છે.
જીવ અસ્પૃશ્યગતિએ સિદ્ધ થાય છે એટલે માર્ગમાં જે