________________
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૪૫
- - મુમુક્ષુ બોલ્યો- ભગવન્, આપે કહ્યું કે, આ દશમાં ગુણસ્થાનમાં સૂક્ષ્મ ખંડરૂપ લોભનું અસ્તિત્વ રહે છે, તો તેનું શું કારણ છે ? તે સમજાવો.
આનંદમુનિએ ઉત્સાહથી જણાવ્યું, ભદ્ર, એ વાતનું સ્પષ્ટીકરણ આગળ થઇ શકશે; કારણકે, આઠમા, નવમા, દશમા, અગીયારમા અને બારમા ગુણસ્થાનોને એક બીજાની સાથે પરસ્પર સંબંધ રહેલો છે, તેથી બારમા સોપાન સુધી સામાન્ય વિવેચના કરી પછી તને બધી સમજુતી આપીશ, એટલે તારી શંકા તદન પરાસ્ત થઇ જશે.
| મુમુક્ષુએ પ્રાંજલિ થઇને કહ્યું, “ભગવદ્, આપનો મારીપર અનુગ્રહ છે. તેથી હું આપની પાસેથી નિઃશંક થઇ ઉત્તમ લાભ સંપાદન કરીશ. હવે આગળની સૂચનાઓ કૃપા કરી દર્શાવો અને સમજાવો.”
આપ્યારમ ઉપાશાંત મોહ ગુણસ્થાનક
-
આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણિવાળા જીવોજ આવી શકે છે. ઉપશમ સમકતી જીવો અથવા ક્ષાયિક સમીકીતી જીવો હોય
છે.
પહેલા ત્રણ સંઘયણવાળા જીવો આ ગુણસ્થાનને પ્રાપ્ત કરી શકે છે. આ ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પતન પામે છે એટલે જે રીતે મોહનીય કર્મનો ઉપશમ કરીને ચઢ્યા હોય એ રીતે પાછા ઉતરે છે અને ઉપશમ સમકતી જીવો ચોથા ગુણસ્થાનકે આવી બીજા ગુણસ્થાનકે જઇ પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત થઇ શકે છે અને યાવત નિગોદમાં પણ જાય છે.
હાલ નરકમાં અગ્યારમેથી પડેલા અસંખ્યાતા છે. નિગોદમાં