________________
33૬
ચૌદ ગુણસ્થાન ભાગ-3
ક્ષપક પુરૂષનો ભાવ જ ક્ષપકશ્રેણીનું કારણ છે. પ્રાણાયામ વગેરે તો તેના આડંબર છે. તત્ત્વથી તો ભાવ જ પ્રધાન છે. મરૂદેવા વગેરે ઘણાં આત્માઓ કેવળ ભાવથી જ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા છે.”
મુમુક્ષુ સાનંદ વદને બોલ્યો- “ભગવદ્, તે વિષે હવે હું નિઃશંક થયો છું. કૃપા કરી શુકલ ધ્યાનના પ્રથમ પાયાનું સ્વરૂપ
સમજાવો.”
આનંદમુનિ હર્ષિત વદને બોલ્યા- “ભદ્ર, શુકલધ્યાનના પ્રથમ પાયાનું નામ સપૃથકત્વ, સવિતર્ક, સવિચાર છે. તેમાં વિતર્ક સહિત વત્તે તે સવિતર્ક, તેમજ વિચાર સહિત વર્તે તે સવિચાર અને પૃથત્વ સહિત વત્તે તે સપૃથકૃત્વ. આ ત્રણ વિશેષણ યુક્ત હોવાથી તેનું તે નામ સાર્થક છે. તેમાં વ્યુત શાસ્ત્રની ચિંતા રહે છે, તેથી તે સવિતર્ક છે. શબ્દ અર્થ તથા યોગાંતરમાં સંક્રમણ કરવાના તેમાં વિચાર થાય છે, તેથી તે સવિચાર છે, અને દ્રવ્યગુણ પર્યાયાદિથી તેમાં અન્યપણું છે, તેથી તે સપૃથકત્વ છે. એટલે તે ધ્યાન ધરતાં અંતરંગ ધ્વનિરૂપ વિતર્ક થાય છે, કારણકે સ્વકીય નિર્મળ પરમાત્મ તત્ત્વ અનુભવમય અંતરંગ ભાવગત આગમના અવલંબનથી આ સવિતર્ક ધ્યાન છે, અને તેથી જે ધ્યાનમાં પૂર્વોક્ત વિતર્ક વિચારણા રૂપ અર્થથી અર્થાતરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી યોગાંતરમાં સંક્રમણ હોવાથી તે સવિચાર સંક્રમણ છે, તેમજ જે ધ્યાનમાં પૂર્વોક્ત તે વિતર્ક અને સવિચાર અર્થી વ્યંજન યોગાંતર સંક્રમણ રૂપ પણ શુદ્ધાત્માની પેઠે દ્રવ્યથી દ્રવ્યાંતરમાં અથવા ગુણોથી ગુણાંતરમાં અથવા પર્યાયોથી પર્યાવરમાં જાય છે, તેમાં સહભાવી તે ગુણ છે અને ક્રમભાવી તે પર્યાય છે.) તે દ્રવ્યગુણ પર્યાયાંતરોમાં જે ધ્યાનમાં અન્યત્વ પૃથકત્વ છે તે સપૃથફત્વ છે. આવા શુકલ ધ્યાનના પ્રથમ પાયાથી ધ્યાતા જીવ