________________
ચૌદ ગુણસ્થાનક ભાd-3
૩૨૯
-
- -
-
-
-
-
-
-
—
-
-
-
એક સ્થિતિઘાત નાશ થાય તેટલા કાળમાં હજારો રસઘાત થાય છે. આ પ્રમાણે રસનો ઘાત થવાથી ઉત્તરોત્તર અલ્પ રસવાળા દલિકો નીચે ઉતરે છે. જેથી અધ્યવસાયની નિર્મળતા વધતી જાય છે.
ગુણશ્રેણી :- જે સ્થિતિનો સ્થિતિઘાત કરે છે તેમાંથી દલિકો ગ્રહણ કરીને ઉદય સમયથી આરંભીને સમયે સમયે અસંખ્યાતગુણા અસંખ્યાતગુણા (ભોગવાય તેમ) ગોઠવે છે. સમયે સમયે અસંખ્યાતગુણા ઉપાડે છે. અને અસંખ્ય-અસંખ્યગુણા ગોઠવે છે. પહેલે સમયે જે દલિકો ઉપાડ્યા તે આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. બીજે સમયે જે અસંખ્યાતગુણા ઉપાડ્યા તે પણ આખી શ્રેણીમાં ગોઠવાઇ જાય છે. પણ પહેલો સમય ભોગવાઇ ગયો જેથી ગોઠવવાનું એક સ્થાન ઘટ્યું તેમ એક સમયે ભોગવાતો સમય ગોઠવવાના સ્થાનમાં ઘટે જવાનો, કારણ ઉદય સમયે ભોગવાય તેમ ઘટતો જાય. તેમ શ્રેણીના ઉપરના સમય વધતા નથી આ શ્રેણીની રચના અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી પણ થોડા સમય સુધી ઉદય આવે ત્યાં સુધી દલિકો ગોઠવવાની શ્રેણીની રચના થાય છે આ ગુણશ્રેણી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોની હોય છે.
અપૂર્વ સ્થિતિબંધ - એક સરખો સ્થિતિઘાત જેટલા સમય રહે તેટલા કાળને બંધ કાળાધ બંધકાળ કહે છે. સ્થિતિબંધ અને સ્થિતિઘાત બન્નેનો કાળ એક સરખો છે જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા સ્થિતિબંધ કાલાહ્વા થાય છે. જે પ્રમાણે સ્થિતિનો ઘાત થાય છે તે જ પ્રમાણે સ્થિતિબંધ પણ ઓછો થાય છે. આવા સ્થિતિબંધ કાલાઢા અપૂર્વકરણમાં હજારો થાય છે જેથી અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં ચરમ સમયે સંખ્યાતમો ભાગ સ્થિતિબંધ થાય છે.