SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ભ્રમણ કરે છે, માટે રાત્રિને વિષે ભોજન કરનારને સ્પષ્ટ રીતે તે રાક્ષસો પણ છળે છે. વળી ભોજનને ધોવા વિગેરે કાર્યમાં કુંથુ આદિ જીવોનો ઘાત થાય છે, ઇત્યાદિ રાત્રિ ભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે ? સર્વ દેશોમાં સર્વ કાળમાં કાચા ગોરસયુક્ત કુરુણિઓમાં (કઠોર ધાન્યમાં) નિગોદ જીવો અને પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. જેને પીલવાથી તેલ ન નિકળે તેને વિદલ કહે છે, (૧) જેને એક્કો જે કઠોળને (જેની દાળ પડે એવા ધાન્યને) (૨) જેની બે ફ્લડ થાય એટલે દાળ પડે તે દ્વિદલ ધાન્ય કઠોળ વિગેરે કહેવાય.વળી વિદલમાં ઉત્પન્ન થયેલ ધાન્યમાં પણ જો તેલયુક્ત ન હોય તો તે વિદલ કહેવાય નહિ. ઉગવામાંડેલું (અંકુરિત થયેલ) વિદલ પણ વિદલ કહેવાય, વળી સર્વ કાષ્ટ દળ કે જે સ્નેહ રહિત હોય (તેલ રહિત હોય) પરન્તુ સરખી બે ફાટ થતી હોય તો તે પણ વિદલ કહેવાય છે. સ્નેહ રહિત (તેલરહિત) વિદલમાં ઉત્પન્ન થયેલ ત્વચાપત્ર વિગેરે પણ સર્વ વિદલ છે, અને તે જો કાચા ગોરસમાં પડે તો ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. વળી જો મગ, અડદ વિગેરે પણ વિદલ કાચા ગોરસમાં પડે તો ત્રસ જીવોની ઉત્પત્તિ કહેવાય છે, અને દહિં પણ બે દિવસથી ઉપરાન્તનું હોય તો તેમાં (ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. દ્રવ્યાન્તર થયે છતે કાચાઠંડા ગોરસ (દહીં) માં પણ ઉનું અને ઉના દહીંમાં ઠંડુ ગોરસ (દહીં) નાંખવું નહિ. (અનન્તકાય વનસ્પતિ દર્શાવે છે.) કંદની સર્વ જાતિ, સૂરણમંદ, વજ્રકંદ, લીલી હલદર તથા આદૂ તથા લીલો કચૂરો, સતાવરી, વિરાલી, કુંવાર, થુવર, ગળો, લસણ, વાંસકારેલાં, ગાજર, લૂણ, લોઢકંદ, ગિરિકર્ણિકા, કિશલયપત્ર, ખુરસાણી, લીલીમોથ તથા લવણવૃક્ષની છાલ, ખીલોડીકંદ, અમૃતવલ્લી, મૂળા, ભૂમિરૂહ (છત્રાકાર), વિરૂહ તથા ઢંક, વાસ્તુલ, પ્રથમ સૂકરવાલ તથા પાલખ, કોમળ આંબલી, તથા આવુ અને
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy