________________
ચૌદ ગુણસ્થાન ભાગ-3
૨૮૮ — —
—
—
—
—
—
—
—
—
—
વિશ્રેણિમાં રહેતા શ્રોતા વાસિતને જ સાંભળે છે, સમશ્રેણીમાં રહેલા મિશ્રને સાંભળે છે; વાસિત અને મિશ્ર સિવાયનાં કેવળ શુદ્ધ ભાષાદ્રવ્યો શ્રવણ કરાતાં નથી. કહ્યું છે કે,
'पुढे सुणेइ सदं, रुवं पुण पासइ अपुढे तु । गंध रसं च फासं बध्धपुढे वियागरे ।। १ ।।'
શબ્દ સ્પર્શ કરાયેલો સંભળાય છે, રૂપ, સ્પર્શ કરાયા વિના દેખાય છે, તથા ગબ્ધ રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટ ગ્રહણ થાય છે. શબ્દના પુદ્ગલો સૂક્ષ્મ, ભાવુક અને ઘણા હોય છે, તેથી સ્પષ્ટમાત્રથી સંભળાય છે. ગંધ, રસ અને સ્પર્શના પુલો બાદર, અભાવુક અને અલ્પ હોય છે તેથી સ્પષ્ટ અને બદ્ધ થયેલા જ ગ્રહણ થાય છે. સ્પષ્ટ એટલે અડેલાં અને બદ્વ એટલે ગાઢ રીતે મળેલાં. શ્રોવેન્દ્રિય અને ચક્ષુઇન્દ્રિય પટુ છે, બીજી ઇન્દ્રિયો અપટુ છે. શ્રોવેન્દ્રિય ઉત્કૃષ્ટ ૧૨ યોજનથી આવેલા શબ્દોને સાંભળે છે, ભાસુરરૂપ ૨૩ લાખ યોજન દૂરથી ગ્રહણ થાય છે, ગંધ, રસ અને સ્પર્શ ચાવત ૯ યોજન દૂરથી આવેલાં ગ્રહણ કરાય છે.
ઉપસંહાર
ભાષાની સત્યાસત્યતા, સાવધનિરવધતા, સદોષનિર્દોષતા, અને વ્યવહાર મિશ્રતા ઇત્યાદિને જે જાણતો નથી તેવા અગીતાર્થને જૈન શાસ્ત્રો બોલવાનો પણ નિષેધ કરે છે, તો પછી ઉપેદેશાદિ કરવાની તો વાત જ ક્યાં ? શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્તની અંદર મુનિઓના વાક્યની શુદ્ધિ માટે વિસ્તૃત વિવેચન કરેલું છે. વાતચીતના વિષયમાં આવનારા મનુષ્યની તિર્યંચ પર્યત અને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વત, પદાર્થો સંબંધી બોલવામાં સંભાળભરી કાળજી રાખવામાં ન આવે તો કેવો મોટો અનર્થ ઉત્પન્ન થાય છે