SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ જીવાજીવ રાશિ છે એમ કહેવું તે. ૨૩ (૭) અનંતમિશ્ર - પ્રત્યેક અને સાધારણ બંને હોવા છતાં અનંતકાય કહેવું. (૮) પ્રત્યેક - અનંતકાયથી યુક્તને પ્રત્યેકવનસ્પતિકાય તરીકે ઓળખાવવા. (૯) અધામિશ્ર - રાત ન પડી હોય તોપણ રાત પડી એમ કહેવું, સૂર્યોદય ન થયો હોય તો પણ સૂર્યોદય થયો એમ કહેવું ઇત્યાદિ. છે ઃ (૧૦) અલ્લાઅધામિશ્ર - રાત કે દિવસના પ્રહરાદિ અન્ય પ્રહરાદિ સાથે મિશ્રિત કરીને બોલવા, જેમકે પ્રથમ પોરિસી વખતે મધ્ય દિન કહેવો, છેલ્લા પ્રહર વખતે સંધ્યા સમય કહેવો ઇત્યાદિ. અનુભય-અસત્યામૃષા અથવા વ્યવહારભાષાના બાર પ્રકાર સત્ય, અસત્ય અને મિશ્ર એ ત્રણ ભાષાથી વિપરીત લક્ષણવાળી ભાષાને શાસ્ત્રમાં ‘અસત્યામૃષા' અપરનામ ‘વ્યવહારભાષા’ કહે છે. સત્યાદિ ભાષાની જેમ તે પ્રવર્તક નિવર્તક નથી, કિન્તુ વ્યવહાર ચલાવવાના સાધન માત્રરૂપ છે. ‘સવમ્યો હિત સત્યમ્' એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે, સત્ એટલે સજ્જન પુરુષો, સુંદર (મૂલોત્તર) ગુણો અથવા જીવાજીવાદિ વિધમાન પદાર્થો તેને હિતકારી તે સત્ય કહેવાય છે. સજ્જન પુરુષો એટલે ઉત્તમ મુનિઓને હિતકારી, જેમકે આત્મા છે, કર્મ છે, પરલોક છે, ઇત્યાદિ-મુનિમાર્ગને અનુકુલ વચનો તે સત્ય છે. સુંદર મુલોત્તર ગુણો તેને હિતકર એટલે તેની આરાધનામાં ઉપકારી, જેમકે અહિંસા-સંયમ-બ્રહ્મચર્ય ઇત્યાદિ ફ્લદાયી છે. હિંસા, અસંયમ, અબ્રહ્મ ઇત્યાદિ દુર્ગતિદાયક છે. જીવાજીવાદિ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy