________________
ચૌદ વણસ્થાન ભાગ-૩
૫૯
(૨) ત્યારે એવી આપણામાં કઈ મોટી યોગ્યતા આવી ગઈ છે કે કયા મોટા સુકૃત કર્યા છે કે ગર્વ કરીએ ?
(૩) આપણી કઇ દોષરહિત યા મૃત્યુરહિત સ્થિતિ બની છે કે જેથી માનનો દાવો રાખીએ ?
(૪) તેમ જ ગર્વ કરવાથી કયો આત્મગુણ પોષાય કે વધે છે ?
(૫) અભિમાનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પૈકી કોનો પર્યાય વધે છે કે પુષ્ટ થાય છે ? કોઇનો નહિ.
(૬) કર્મ ખપાવવા હતા તેથી આપણા પ્યારા પ્રભુએ અનંત બળ છતાં સંગમ ગોવાળિયા આગળ ક્યાં જરાય ગુમાન દાખવ્યું હતું ? ઉલટું મૌનપણે એનો ત્રાસ સહ્યો હતો. ઇત્યાદિ વિચારી ગર્વ અકડાશ ત્યજી બહુ જ નમ્ર અને મૃદુ બનવાની જરૂર છે. મૃદુતામાં હૃદય કોમળ હોવાથી અનેક ગુણો આવે છે, ગુરુઆદિ પાસેથી વિદ્યા વગેરે મળે છે, સૌનો પ્રેમ જીતાય છે “વિનય વૈરીને વશ કરે છે” નવો કર્મબંધ થતો નથી પાછળથી પસ્તાવું પડતું નથી; વગેરે લાભો પણ અનેક મળે છે. માટે મહાજ્ઞાની, મહાપ્રભાવક, મહાતપસ્વી. વગેરે પૂર્વમહર્ષિઓને યાદ કરી ગર્વ જરાય નહિ રાખવાનો.
3- ઋજુતા
ત્રીજા યતિધર્મ “હજુતા'માં માયા-કપટનો ત્યાગ અને હૃદયની સરળતા આવે, આ લાવવા અહિં ધ્યાનમાં લેવાનું છે કે (૧) પ્રપંચ અને દાવપેચથી હૈયું બગડે છે આત્માના સુસંસ્કાર બગડે છે એથી ભવિષ્ય બગડે છે.
(૨) પૂર્વ જન્મોમાં સેવેલી માયાનું ફળ ગીરોળી, બીલાડી, વગેરેના જીવનમાં દેખાય છે. એનું આખું જીવન જળ પ્રપંચથી અંધારામાં કે ઓથે છૂપાઇ રહી શિકારને ઝંખ્યા કરે, અને અવસર