________________
૨૧૦
–
–
–
–
–
–
–
–
–-
-
-
-
-
-
--
ચૌદ સ્થાનિક ભા-૩
- - થાય છે, અને માતાનાં કાર્ય ભક્તિથી થાય છે. આમ કાર્ય કરતી વખતે દિલના અમુક ભાવમાં ક પડે છે. બન્નેનું કાર્ય કરતી વખતે બીજાં કાર્યનાં ત્યાગ રખાવે એવી દિલની એકનિષ્ઠા સમાન, છતાં માતાનાં કાર્યમાં પ્રેમ ઉપરાંત વિશેષ સમજ સાથે એની પ્રત્યે ગૌરવ, પૂજ્યભાવ, અને એ ઉપકારક તરીકે ભારે કૃતજ્ઞભાવ હૈયે ઝળહળતો હોય છે. માનવતા અહીં જીવંત રહે છે. આજની જડવાદી કેળવણી આ કશું શિખવતી નથી.
પ્રભુ અને પ્રભુએ આદેશેલ અનુષ્ઠાનો પ્રત્યે આ પ્રીતિ અને ભક્તિ બંનેના ભાવ એટલે કે હૈયે પ્રીતિ, વિશેષ સમજ, પૂજ્યભાવનું ગૌરવ, અતિશય પ્રયત્ન અને એકનિષ્ઠતા ઝગમગતા રાખવાના છે. હજુય શ્રદ્ધાનો ખપ કરાય છે. પણ ત્યાં મંદ પ્રયત્નવાળી ક્રિયા થાય છે. અને બીજી ક્રિયા અગર તેના ચિંતનનો શંભુમેળો કરાય છે. ત્યારે દિલમાં પ્રીતિ-ભક્તિના ભાવ જીવતા-જાગતા રાખવાનું કે ઉછળતા કરવાનું વિસરી જવાય છે. વીતરાગ બનવું છે તો પરમાત્માનો અનંત ઉપકાર, એમના અનંત ગુણો, અને એમનો અચિંત્ય પ્રભાવ જરાય વિસર્યા વિના. એટલે ? દરેક શુભ પ્રાપ્તિમાં એ યાદ કરીને, અને અશુભ પ્રાપ્તિમાં ય “પૂર્વે એને આપણે ના ઝીલ્યાનું આ પરિણામ છે- એ ધ્યાન પર લાવી લાવીને, હવે હૃદયે પ્રીતિ-ભક્તિના મોજાં ઉછાળવાનાં. કૃતજ્ઞતા એ પાયાનો ગુણ છે. એ હૈયે વિલશતી રહે એટલે આ શક્ય છે. સાથે એમ થાય કે વીતરાગ બનવા માટે સતીના સુશીલ અને પ્રેમાળ પતિ પ્રત્યેના પ્રેમની જેમ વીતરાગ પ્રત્યે અથાગ રાગ પહેલાં કરું તો જ દુન્યવી રાગ છૂટશે. તો જ વીતરાગની આજ્ઞાને જીવનના પ્રાણ બનાવવાનું સત્ત્વ વિકસશે, અને ખીલેલું સત્ત્વ ક્રોધાદિ આંતર શત્રુનો નાશ કરશે. બસ, ડગલે ને પગલે આવાં સ્મરણ કે- “અહો ! આ જગત પર વીતરાગ અરિહંત પ્રભુ એ કેવીક અકલવ્ય વિભૂતિ ! કેવું