________________
૨૦૨ - -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
- --- - - - - - આપ પૂજ્ય આજ્ઞા માવતા હો તો હું કરું.” આ પ્રમાણે પુનઃ પૂછવું તે અથવા તો પ્રામાદિએ જવાની આજ્ઞા પામેલા શિષ્ય ગમનકાળે પુનઃ પૂછવું તે, આનું નામ છે- “પ્રતિપ્રચ્છના.”
(૮) છંદના – વહોરી લાવેલ આહારાદિનો લાભ આપવા, ગુરૂની આજ્ઞા મેળવીને ગ્લાન, બાળ આદિને નિમંત્રણ કરવું તે છંદના.
અહીં ગુરુ આજ્ઞાથી કહ્યું એ સૂચવે છે કે સ્વતંત્રતાથી કે સામાન્ય રત્નાધિના આદેશથી નહિ. બીજું લેનારને પણ નિર્જરા છે, અને સામાએ ન લીધું તો પણ વિનંતી કરનારને નિર્જરા છે, માત્ર મનના પરિણામ નિર્મળ જોઇએ.
સાધુએ આહાર-પાણીની સામગ્રી લાવ્યા પછીથી- “મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો' –આ પ્રકારની બીજા સાધુઓને વિનંતિ કરવા દ્વારા, પોતે પૂર્વે આણેલા અશનાદિનો પરિભોગ કરવાને માટે અન્ય સાધુઓને ઉત્સાહિત કરવા, આનું નામ છે- “છંદના.”
(૯) નિમંત્રણા - સ્વાધ્યાય-ધ્યાન કરી લીધા પછી રત્નાધિકની સેવા વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો ગુરુની રજા માગે કે હું મુનિઓ માટે આહારપાણી લાવું ? જા રજા મળે તો પછી મુનિઓને વિનંતિ કરે “હું તમારા માટે શું લાવું?' આને નિમંત્રણા કહેવાય. આનો લાભ દરિદ્ર માણસને રત્નાકરનું રત્ન મળી જવા જેવો છે. આથી ભાવી મોક્ષ સુધીનો લાભ અને અનિત્ય દેહાદિનો ઉત્તમ સદુપયોગ થાય છે.
પોતે જે વસ્તુ લાવ્યા નથી એવી પણ અશનાદિની વસ્તુને માટે- “હું તે વસ્તુ મેળવીને આપને આપીશ.” આ પ્રમાણે કહીને સાધુઓને તે વસ્તુને માટે નિમન્ત્રણ કરવું, આનું નામ છે “નિમત્રણા.”