SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ ગુણસ્થાનક ભાઈ ૨૦૧ - - બતના કાર્યમાં પૃ હોવાથી સામાન્ય, વિશેષ બંને જાતના કાર્યમાં પૃચ્છા કરવાનું સાસ્ત્રનું માન છે. અમુક પ્રવૃત્તિ કરતાં પહેલાં- “હે ભગવન્! આ કરૂં .” -આ પ્રકારે ગુરૂને પૂછવું, એનું નામ છે- “પ્રચ્છના.” | (0) પ્રતિકૃચ્છા - ગુરુએ શિષ્યને કોઇ કાર્ય કરવાનો આદેશ કર્યો હોય તેને બચાવવાના અવસરે શિષ્ય થી ગુરુને પૂછવું કે આપે માવેલ કાર્ય માટે જાઊં છું અગર કાર્ય શરૂ કરું છું અને પ્રતિપૃચ્છા કહેવાય. આ કરવાનું કારણ એ છે કે કદાચ તેવી જરૂર ન હોય અગર બીજી રીતે કે બીજું કાર્ય કરવાનું હોય તો, ગુરુ પૂછવા ગયેલા શિષ્યને તે પ્રમાણે માવી શકે. બીજી રીતે પ્રતિપૃચ્છા શાસ્ત્ર એમ બતાવે છે કે કાર્ય કરવા નીકળતાં કોઇ અપશુકન યા અનિષ્ટ શબ્દનું શ્રવણ વગેરે દુર્નિમિત્ત ઉપસ્થિત થાય તો આઠ શ્વાસોચ્છવાસ-પ્રમાણ અર્થાત્ એક નવકારનો કાઉસગ્ગ કરવો. પછી નીકળતાં ફ્રી દુર્નિમિત્ત ઊભું થાય તો દ્વિગુણ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તે પછી પણ નીકળતાં દુર્નિમિત્ત ઊભું થાય તો સંઘાટકમાં નાનાને આગળ કરી મોટાએ પાછળ રહેવું. ત્યાં ગુરુને ફ્રી પૂછવું તે પ્રતિપૃચ્છા. હવે શિષ્ય એક વાર પૂછયું તો ખરું, પણ એમેય બને કેગુરૂ તે વખતે તે પ્રવૃત્તિને કરવાનો નિષેધ પણ કરે : “આ કરવા. જેવું નથી' –એમેય કહી દે. આમ છતાં પણ, શિષ્યને કોઇ એવો પ્રસંગ હોય તો એમ પણ લાગે કે- “ગુરૂએ નિષેધ તો કર્યો, પણ અમૂક કારણો એવાં છે કે-આ કરવું જ જોઇએ. આવા પ્રસંગે શિષ્ય શું કરે ? ગુરૂ એક વાર નિષેધે એટલે ચૂપ તો થઇ જાય, પણ પછી થોડો સમય જવા દઇને, ફ્ર ગુરૂની પાસે તે કાર્ય કેમ કરવા જેવું છે-એનાં કારણો રજૂ કરે અને કારણો રજૂ કરીને શિષ્ય કહે કે “આ આ કારણોસર આ કૃત્ય કરવું છે : એટલે જ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy