________________
–
–
––
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ પુણસ્થાનક ભાગ-૩
૧૯૯ – – – તળેવ' “મારે તે નિ:સંદેહ માન્ય છે'; આવું વચન બોલવું તે તથાકાર. અહીં કહ્યું છે કે જો ગુરુ ય શું ? અક્તવ્ય શું, એને બરાબર સમજતા ન હોય તો ત્યાં તથાકાર સામાચારી નથી.
સૂત્રવ્યાખ્યાનાદિ ચાલુ હોય તેવા સમયે ગુરૂ કોઇ પણ વચન કહે, ત્યારે- “આપ જે માવો છો તે તેમજ છે' -એમ કહેવું, એટલે કે-ગુરૂની આજ્ઞાને કોઇ પણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના જ સ્વીકારી લેવી, એનું નામ છે- “તથાકાર.”
(૪) આવશ્યકી - (૧) જ્ઞાનાદી કાર્ય અંગે, (૨) ગુરુની આજ્ઞાથી, (૩) ઇર્ષા સમિતિ આદિ આગમ રીતિનું પાલન કરવાપૂર્વક બહાર જવાના પ્રસંગે “આવસહી' કહીને મકાન બહાર નીકળવાનું, તે “આવશ્યકી' અહીં ત્રણ વિશેષણથી સૂચવ્યું કે
(૧) જ્ઞાનાદિ કાર્ય વિના નિષ્કારણ જવાનું કે હરવા વાનું હોય નહિ; કેમ કે એમાં રાગ અને પ્રમાદની વૃદ્ધિ તથા પોતાના સ્વાધ્યાયાદિ કર્તવ્યમાં હાનિ,...યાવત્ બહિભવ વગેરે પોષાય માટે જ આવસહી બોલવામાં આ ઉપયોગ છે કે હું સંચમ-જીવનના { આવશ્યક કાર્યાર્થ બહાર જઉં છું. જ્ઞાન-દર્શન-ચારિત્રને અપોષક કાર્ય સાધુએ કરવાના હોય જ નહિ.
(૨) બીજું ‘ગુરુ-આજ્ઞાથી કહ્યું; એ. સાધુ જીવનમાં ગુર્વાજ્ઞા પૂર્વક જ બધું કરવાનું એમ સૂચવે છે.
(૩) ત્રીજું, આગમની રીતે ગમન કહ્યું, તે સમિતિ-પાલના સાથે, પણ દોડાદોડ નહિ, સંભ્રમ કે મૂચ્છ નહિ, વગેરે સાચવવાનું સૂચવે છે. કેમકે દોડાદોડમાં સમિતિ ન સચવાય, યા કદાચ ઠોર ખાઇ જવાય; સંભ્રમમાં કોઇ સાથે અથડાઇ પડે, તથા મૂચ્છમમતામાં ગોચરી દોષિત ઉપાડે,...આવા બધા દોષોનો સંભવ છે. આવશ્યકી એ સાધુજીવનના પ્રતિક્રમણાદિ આવશ્યકોથી યુક્ત સાધુની જ સાચી ગણાય; તેમજ બહાર જતાં પહેલાં લઘુનીતિ