SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ ૧૨૧ – – ઉદયથી એ આંધળા માણસને પણ એ જ રસ્તે ચાલવાનું મન થાય, કે જે રસ્તો તેને જે નગરે જેવું છે, તે નગરે પહોંચાડતો હોય; અને એથી તે એ માર્ગે ચાલતો ચાલતો પણ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય. તેવા પ્રકારના પુણ્યોદયથી યુક્ત હોવાના કારણે જેમ અટવીમાં અટવાઇ પડેલો આંધળો માણસ પોતાને ઇષ્ટ એવા નગરે પહોંચી જાય છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા મોક્ષમાર્ગને અનુકૂલ પ્રવૃત્તિ સ્વભાવથી થાય-એવી સદ્યોગ્યતાને પામેલો આત્મા ક્રમે કરીને મોક્ષને પામે એ પણ બનવાજોગે જ છે. માર્ગાનુસારપણાનું કારણ સ્વભાવથી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિ થાય-તેવી સદ્યોગ્યતા તે જ જીવોને પ્રાપ્ત થાય છે, કે જે જીવોને પોતાના ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ સિદ્ધ થયેલો છે. પોતાના ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમ વિના જીવ આવા માર્ગાનુસારપણાને પામી શકતો જ નથી. ચારિત્રમોહનીય-કર્મના ક્ષયોપશમનું પ્રમાણ જેટલું વધારે હોય, તેટલું જ જીવનું માગનુસારપણું વધારે હોય અને ચારિત્રમોહનીય-કર્મના લયોપશમનું પ્રમાણ જેટલું ઓછું હોય, તેટલું જ જીવનું માગનુસારિપણું ઓછું હોય. ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ, એ જ આવા માર્ગાનુસારિપણાની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. આથી. ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ એ શું છે, તે સમજી લેવું જોઇએ. મોહનીચ-કર્મની કુલ અઢાવીશ પ્રકૃતિઓ છે. તેમાં ત્રણ પ્રકૃતિઓ. દર્શનમોહનીયની ગણાય છે અને પચીસ પ્રવૃતિઓ ચારિત્રમોહનીયની ગણાય છે. ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ કષાયો અને નોકષાયો સંબંધી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy