________________
ચૌદ
સ્થાનિક ભાગ-૩
૧૦૩
__
_
––
––
–
–
ચારિત્રમોહનીય-કર્મ આદિ કર્મોનો ક્ષયોપશમ પણ અવશ્યમેવ થાય છે. આથી સમ્યક્ત્વના સર્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સર્ભાવ અવશ્ય હોઇ શકે છે, એમ કહી શકાય.
અહીં કોઇ એમ કહી શકશે કે- “શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી જ પ્રગટે છે-એ વાત
જ્યારે બૂલ છે, તો પછી સખ્યત્વના સર્ભાવમાં શુશ્રુષાદિ ગુણોનો સદ્ભાવ હોય છે -એમ કેમ કહો છો ? સમ્યકત્વ તો મિથ્યાત્વમોહનીય-કર્મના ક્ષયોપશમનું કાર્ય છે, માટે એમ કહેવું જોઇએ કે-શુશ્રુષાદિ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમના સદ્ભાવે હોય છે.'
પણ આવું કહેનારને ઉપકારિઓ સમજાવે છે કે- “કેવલ જ્ઞાન, એ કેવલજ્ઞાનાવરણકર્મના ક્ષયથી જ પ્રગટે છે અને તેમ છતાં પણ એમ કહેવાય છે કે-કષાયોનો સર્વથા ક્ષય થયે છતે કેવલજ્ઞાન પ્રગટે છે; અથવા તો સમ્યકત્વ એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જ લભ્ય હોવા છતાં પણ એમ કહેવાય છે કેઅનન્તાનુબન્ધિ રૂપ ચારિત્રમોહનીયનો ઉદય જ્યાં સુધી વર્તતો હોય છે, ત્યાં સુધી જીવ સમ્યકત્વને પામી શકતો નથી. બસ, એવી જ રીતિએ એમ પણ કહી શકાય કે-સમ્યક્ત્વના સભાવમાં શુશ્રુષાદિ ગુણો અવશ્ય પ્રગટે છે.”
હજુ પણ અહીં જો પ્રશ્ન ઉપસ્થિત કરવો હોય તો તેમ કરી શકાય તેમ છે. હજુ પણ અહીં એમ પૂછી શકાય કે- “વૈયાવચ્ચનો નિયમ એ તપનો ભેદ છે એટલે તે ચારિત્રના અંશ રૂપ છે એ નક્કી વાત છે અને સભ્યત્વના સર્ભાવમાં વૈયાવચ્ચ અવશ્ય હોઇ શકે એમ આપ કહો છો, તો અવિરત સમ્યગ્દષ્ટિના ગુણસ્થાનકનો અભાવ થઇ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; કારણ કે-જો અવિરત સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક હોય તો એ સ્થાને વિરત-સમ્યગ્દષ્ટિપણું