SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ થાક ભાવ- ૨ ૧૩૮ હોય છે, ત્યાં સુધી જીવમાં સખ્યત્વનો પરિણામ પ્રગટી શકતો જ નથી. જીવ જ્યારે સમ્યકત્વના અધ્યવસાયમાં વર્તતો હોય, ત્યારે એને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય તો હોય જ નહિ; અને, જો કોઇ પણ કારણે એને મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થઇ જવા પામે, તો એ જીવનો સમ્યકત્વનો જે અધ્યવસાય, તે ચાલ્યો ગયા વિના રહે નહિ. એટલે, અપૂર્વકરણ દ્વારા એ ધન એવા. રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખનારો બનેલો જીવ, અનિવૃત્તિ કરણ દ્વારાએ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે, કે જે અવસ્થામાં એ જીવને, કાં તો મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વમોહનીયનો જે વિપાકોદય, તે ન હોય. જીવની આવી અવસ્થા, અપૂર્વકરણથી પેદા થઇ શકતી જ નથી. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પોતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઇ શકે છે; અને એથી, એ પરિણામને જ અનિવૃત્તિ કરણ' તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ પૂર્વેનો અત્તર એવો કરણ નામ આત્મપરિણામ છે. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ ક્વા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત રે છે-એ સંબંધી કર્મગ્રન્થિક અભિપ્રાય : સમ્યકત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એવો જે અનિવૃત્તિકરણ નામનો પરિણામ, તે પરિણામના કાળમાં, તે પરિણામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઇએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયો પ્રવર્તે છે. એક કાર્મગ્રન્શિક અભિપ્રાય અને બીજી સૈદ્વાન્તિક અભિપ્રાય.
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy