________________
૭૪
ઉપાજ્ય સમય સુધી હોય છે.
૩૩૧. અગણ્યાએંશીની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
કર્મગ્રંથ-૬
ક્ષપકશ્રેણીવાળા જીવો ૯૨ની સત્તામાંથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે ત્યારથી ૭૯ ની સત્તા ચૌદમાના ઉપાત્ત્વ સમય સુધી હોય છે.
૩૩૨. અઠ્યોતેરની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ એકેન્દ્રિય જીવોને. ૮૦ની સત્તા લઈને જીવો તેઉકાય વાયુકાયમાં ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાત કાળ રહેવાના હોય તો મનુષ્યક્વિકની ઉલના કરે ત્યારે ૭૮ ની સત્તાવાળા થાય આ ૭૮ ની સતા લઈ મરીને વિકલેન્દ્રિય અસન્ની સન્ની તિર્યંચોમાં ઉત્પન્ન થાય ત્યાં શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી (એક અંતર્મુહૂર્ત સુધી) સત્તા હોય છે.
૩૩૩. છોતરેની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
ક્ષપક શ્રેણીવાળા જીવો-૮૯ની સત્તામાંથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧૩ પ્રકૃતિનો અંત થતાં ૭૬ની સત્તા થાય છે. ૩૩૪. પંચોતેરની સત્તા ક્યા જીવોને હોય ?
ઉ
ક્ષપક શ્રેણીવાળા જીવોને ૮૮ની સત્તામાંથી નવમાના પહેલા ભાગે તેરનો ક્ષય કરતાં ૭૫ની સત્તાપ્રાપ્ત થાય ત્યારથી હોય છે.
૩૩૫. નવ પ્રકૃતિની સત્તા ક્યારે હોય ?
ઉ
ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે તીર્થંકર કેવલી ભગવંતોને હોય છે. ૩૩૬. આઠ પ્રકૃતિની સત્તા ક્યારે હોય ?
ઉ
ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે સામાન્ય કેવલી ભગવંતોને હોય છે.
અટ્ટય બારસબારસ
બંધોદય સંત પયડ ઠાણાણિ ।
ઓહેણા એસેણ ય
જત્થ જહા સંભવ વિભજે ॥૩૨॥
ભાવાર્થ : નામકર્મના આઠ બંધસ્થાન. બાર ઉદયસ્થાન અને બાર સત્તાસ્થાનો