________________
૧૫
૩૨
કર્મગ્રંથ-૬ ઉ બાદર સાધારણ તથા બાદર પ્રત્યેક એકેન્દ્રિય જીવોમાંથી કોઈ જીવોને
ઉદ્યોતનો ઉદય હોય છે. ૧૫ર. આતપનામકર્મનો ઉદય કયા જીવોને હોય? " ઉ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાતા પ્રત્યેક પૃથ્વીકાય જીવોને આતપનો
ઉદય નિયમા હોય છે. બાકીના કોઈપણ જીવોને હોતો નથી. ૧૫૩. બેઈન્દ્રિય જીવોને એકવીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં
રહેલા જીવોને હોય? ઉ તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, તેજસ, કામર્ણશરીર, ૪
વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, અથવા અપર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેયયશ અથવા અયશ આ ઉદય વિગ્રહગતિમાં વર્તતા જીવોને હોય છે. બેઈન્દ્રિય જીવોને છવ્વીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ ? ક્યાં રહેલા જીવોને હોય? તે આ પ્રમાણે તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ, કાર્મણશરીર,
દારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, અથવા અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ. આ ઉદય શરીર પર્યાપ્ત કરી રહેલા જીવોને હોય છે. અર્થાત હજી સુધી
શરીર પર્યામિ પૂર્ણ કરી ન હોય તેવા જીવોને જાણવો. ૧૫૫. બેઈન્દ્રિય જીવોને અઠ્ઠાવીશ પ્રકૃતિના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ હોય?
ક્યાં રહેલા જીવોને ઉદયહોય? તે આ પ્રમાણે. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક તેજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ આ ઉદય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા જીવોને હોય છે (જાણવો)