SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૫૩ પ્ર.૩૧૬ આઠ પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉ : આઠ પ્રકૃતિના ઉદયના અગ્યાર ચોવીસી ભાંગા થાય. ૨૪ x ૧૧ = ૨૬૪ ભાંગા થાય છે. પ્ર.૩૧૭ સાત પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉ : સાત પ્રકૃતિના ઉદયના દશ ચોવીસી ભાંગા થાય. ૨૪ x ૧૦ = ૨૪૦. પ્ર.૩૧૮ છ પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉઃ છ પ્રકૃતિના ઉદયના ૭ ચોવીસી ભાંગા થાય. ૨૪ x ૭ = ૧૬૮ ભાંગા થાય. પ્ર.૩૧૯ પાંચ પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉઃ પાંચ પ્રકૃતિના ઉદયના ચાર ચોવીસી ભાંગા થાય. ૨૪ x ૪ = ૯૬ ભાંગા થાય છે. પ્ર.૩૨૦ ચારના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉઃ ચારના ઉદયના એક ચોવીશી ભાંગા થાય. ૨૪ x 1 = ૨૪ થાય. પ્ર.૩ર૧ બે પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? ઉઃ બે પ્રકૃતિના ઉદયના ૧૨ ભાંગા થાય ૪ કષાય x ૩ વેદ = ૧૨ ભાંગા થાય છે. પ્ર.૩રર એક પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા થાય? કયા? એકના ઉદયના કુલ ૧૧/૧૦ ભાંગા થાય. ચારકષાયના ઉદયના ૪ ભાંગા. ત્રણ કષાયના ઉદયના ૩ ભાંગા બે કષાયના ઉદયના ૨ ભાંગા. એક કષાયના ઉદયનો ૧ ભાંગો તથા દસમા ગુણસ્થાન-૧ ના ઉદયનો ૧ ભાંગો એમ કુલ ૧૧ ભાંગા થાય. દસમુ ગુણસ્થાન ના ગણીએ તો ૧૦ ભાંગા થાય. પ્ર.૩ર૩ નવ ઉદયસ્થાનકનાં કુલ ભાંગા કેટલા થાય? ઉ : નવ ઉદયસ્થાનકનાં કુલ ૯૮૩ ઉદયભાંગા થાય. દસના ઉદયના ૨૪ ભાંગા નવના ઉદયના ૧૪૪ ભાંગા આઠના ઉદયના ર૬૪ ભાંગા સાતના ઉદયના ૨૪૦ ભાંગા છના ઉદયના ૧૬૮ ભાંગા પાંચના ઉદયના ૯૬ ભાંગા ચારના ઉદયના ૨૪ ભાંગા બેના ઉદયના ૧૨ ભાંગા
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy