SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ * કર્મગ્રંથ-૬ હોય. પ્ર.૩૦૮ સત્તર પ્રકૃતિના બંધે ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉઃ સત્તર પ્રકૃતિના બંધે ચાર ઉદયસ્થાન હોય ૬ - ૭-૮-૯પ્રકૃતિઓના હોય. પ્ર.૩૦૯ તેર પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાન હોય? કયા? ઉ : તેર પ્રકૃતિના બંધે ચાર ઉદયસ્થાન હોય. ૫ - ૬ - ૭ - ૮ એ " પ્રકૃતિઓના જાણવા. પ્ર.૩૧૦ નવ પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાનો હોય? કયા? ઉ: નવ પ્રકૃતિના બંધે ૪ ઉદયસ્થાનો હોય ૪ - ૫ - ૬ - ૭ પ્રકૃતિઓના જાણવાં. પ્ર.૩૧૧ પાંચ પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાન હોય? કયા? ઉ : પાંચ પ્રકૃતિના બંધે ૧ ઉદયસ્થાન હોય, બે પ્રકૃતિનું હોય. પ્ર.૩૧૨ ચારથી એકના બંધસ્થાને કેટલા ઉદયસ્થાનો હોય? કયા? ઉ: ચારથી એકના બંધસ્થાને અનુક્રમે એક એક પ્રકૃતિનુ ઉદયસ્થાન હોય પ્ર.૩૧૩ બાવીસના બંધે ૭ નો ઉદય શી રીતે જાણવો? ઉ : બાવીસના બંધે સાત પ્રકૃતિનો ઉદય આ પ્રમાણે.. કોઈ ક્ષયોપશમ સમ્યફષ્ટિ જીવ અનંતા ૪ કષાયની વિસંયોજના કરી પતિત પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે અઠ્ઠાવીસ સત્તાવાળો થાય પણ તેજ સમયે અનંતાનુબંધી ૪ બંધાતી હોવાથી એક આવલિકા સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય ન હોવાથી સાત પ્રકૃતિઓનો ઉદય હોય પ્ર.૩૧૪ દસ પ્રકૃતિનાં ઉદયના કેટલા ભાંગા હોય? કયા? ઉ : દસ પ્રકૃતિનાં ઉદયના ૨૪ ભાંગા હોય છે. ૪ કષાય + ૨ યુગલ + ૧ વેદ = ૨૪ ભાંગા થાય છે. પ્ર.૩૧૫ નવ પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા હોય? કયા? ઉઃ નવ પ્રકૃતિના ઉદયના છ ચોવીસી ભાંગા થાય છે. ૨૪ x ૬ = ૧૪૪ ભાંગા થાય છે.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy