SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ઉમર્યા છે અને નવ ઉપરૂપકોની વ્યાખ્યા માટે અભિનવગુપ્તનાં અવતરણો(પ૯૬૯) રજૂ કર્યા છે. બીજી બે વ્યાખ્યાઓ(૬૮-૬૯) ભોજના “શૃંગારપ્રકાશમાં મળે છે. અને છેલ્લી વ્યાખ્યા અભિનવગુપ્ત ટાંકેલી, કોહલની મનાતી, રાગકાવ્ય'(કે કાવ્ય)ની વ્યાખ્યા છે. સાહિત્યદર્પણ' કાર વિશ્વનાથે પહેલી જ વાર અઢાર ઉપરૂપકો ગણાવ્યાં છે પણ, ઉપરૂપકોની વધુમાં વધુ સંખ્યા (વીસ) શારદાતનયના ‘ભાવપ્રકાશમાં મળે છે. આમ, એક વસ્તુ સ્પષ્ટ છે કે ઉપરૂપકોની શરૂઆત ભરતમુનિએ કરી નથી. કદાચ કોહલે, લોકપ્રિય સ્વરૂપનાં આ ઉપરૂપકોને, પહેલી જ વાર શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું છે. ‘દશરૂપકમાં ઉપરૂપકોનું નિરૂપણ નથી. એનું કારણ એ હોઈ શકે કે આ ઉપરૂપકો નૃત્યનાટિકા જેવાં છે અને રસ તેમાં પ્રધાનપણે નિરૂપાતો નથી, પણ નૃત્ય અને સંગીત જ એમાં પ્રવર્તે છે. આ રીતે હેમચન્દ્રાચાર્યે પાહ્ય રૂપકોને ગેયરૂપકોથી અલગ પાડ્યાં છે. ધનિક અને શારદાનય ઉપરૂપકોને નૃત્ય-ભેદો જ માને છે. પણ આ નૃત્ય-રૂપકો, મુખ્ય રૂપકોની પૂર્વે શરૂ થયાં હોય એ બનવાજોગ છે. જો કે, ‘રાસક’, હલ્લીસક વગેરે રૂપકો નૃત્ય સ્વરૂપનાં છે એ ખરું; પણ “પ્રકરણિકા' વગેરે સ્વરૂપો નાટિકા, સટ્ટક અને બીજાં મુખ્ય રૂપકો જેવાં જ રૂપકો છે. એટલે આ બધા ગેય પ્રકારો માટે હેમચન્દ્રાચાર્યે ‘રૂપક' (યાન પhiળ) સંજ્ઞા પ્રયોજી છે તે તદન યોગ્ય છે.૧૧ “કથા' અને આખ્યાયિકા' વિશે હેમચન્દ્રાચાર્યનો મત આખ્યાયિકાના વિવરણમાં હેમચન્દ્રાચાર્ય ભામહ અને ભોજની પરંપરાને અનુસરે છે; પણ એક નવીન સૂચન કરે છે કે, “આખ્યાયિકા'નો નાયક, “ધીરોદ્ધત’ હોય છે જયારે “કથા'નો નાયક, “ધીરશાન્ત હોય છે. ભામહે કહ્યું છે કે, “આખ્યાયિકા'માં નાયક પોતે જ પોતાની કથા કહે છે(૧.૨૬). પણ “કથા'માં કોઈ બીજ, નાયકનું ચરિત્ર વર્ણવે છે; કેમ કે, કોઈ અભિજાત(કુલીન) વ્યક્તિ, પોતે જ, પોતાના ગુણોનું વર્ણન શી રીતે કરે ? (૧.૨૯) ભામહના આ શબ્દોમાંથી હેમચન્દ્રાચાર્ય “આખ્યાયિકા' તથા “કથા'ના નાયકનો પ્રકૃતિભેદ તારવે છે અને તેમને અનુક્રમે “ધીરોદ્ધત્ત” તથા “ધીરશાન્ત' કહે છે. સૂત્ર સાત(૮.૭)ની વૃત્તિમાં આ વાત સ્પષ્ટ થાય છે ; “ધીરપ્રશાન્ત', નાયકમાં ગાંભીર્યનો ગુણ પ્રબલ હોવાથી એ પોતાના ગુણોનું વર્ણન કરે તે સંભવિત નથી, એટલે જેમાં ધીરોદ્ધત નાયક પોતાનું સદાચારયુક્ત બની ચૂકેલું ચરિત્ર..મિત્ર ૬૦૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy