________________
છે તે સૌ જાણે છે. મહાભારતમાં “નલોપાખ્યાન” આ જ પ્રકારનું સાહિત્યસ્વરૂપ છે. ઉપાખ્યાન જયારે અભિનયપૂર્વક, ભાવપૂર્વકની કથનશૈલીમાં સાજસંગીત સાથે ગાઈને એક જ ગ્રંથિક રજૂ કરે છે ત્યારે તે આખ્યાન કહેવાય છે; ગોવિંદ-આખ્યાન' આનું દૃષ્ટાંત છે. નિદર્શન એ કથાત્મક સાહિત્યરૂપ આથી જરા જુદું હોય છે. જેમાં પ્રાણીઓ, પંખીઓ, કે નીચ પાત્રોની ચેષ્ટાઓ વડે બોધ આપવામાં આવે છે તે નિદર્શન (કથા) કહેવાય છે. વિષ્ણુશર્માકૃત “પંચતંત્ર', અને
દામોદરગુપ્તકૃત કુટ્ટ નીમત’ એ નિદર્શનનાં જાણીતાં દૃષ્ટાંતો છે. 3. પ્રવહ્નિકા એ એવું કથાત્મક સ્વરૂપ છે જેમાં બે જણનો વિવાદ કે વાર્તાલાપ
વર્ણવવામાં આવે છે અને એ બન્ને જણ, અડધી પ્રાકૃત ભાષામાં વાતાલાપ કરી. એ વાર્તાલાપ દ્વારા, કથાને વર્ણવે છે. ચેટક ઇત્યાદિ “પ્રવહ્નિકા'ના
નમૂના છે. ૪. મળ્યુલ્લિકા એ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં અથવા પૈશાચી બોલીમાં રચાયેલી
કથા છે. એનું વિષયવસ્તુ સુદ્ર કે તુચ્છ બાબતને લગતું હોય છે. વળી, જે કથામાં પુરોહિત, મંત્રી કે તાપસનો, આરંભેલું કાર્ય પૂરું ન કરવા માટે, ઉપહાસ કરવામાં આવે છે તે પણ મળ્યુલ્લિકા કહેવાય છે. ગોરોચના તથા
અનંગવતી એ બે કથાઓ “મન્વલ્લિકા'ના નમૂના ગણાય છે. ૫. મણિકુલ્યા પણ કથાપ્રકાર છે. તેમાં પહેલાં વસ્તુ દેખાતી નથી; પણ
પાછળથી પ્રકાશિત થાય છે. મસ્તહસિતા વગેરે એના નમૂના છે. ૬. પરિકથા એ વિલક્ષણ કથાપ્રકાર છે. જેમાં એકાદ ધર્મ ઇત્યાદિ પુરુષાર્થને
અનુલક્ષીને અનેક વૃત્તાંતો, અનેકવિધ પ્રકારે વર્ણવાય છે. શૂદ્રકથા એ
પરિકથાનો નમૂનો છે. ૭. ખંડકથામાં જાણીતી કથાનો એક ભાગ, મધ્યમાંથી કે અંત ભાગમાંથી,
વર્ણવવામાં આવે છે. ઈન્દુમતી વગેરે ખંડકથાના નમૂના છે. ૮. સકલકથા એ પૂર્ણ કથા છે. જેમાં કથાના બધા જ પ્રસંગોનું, ફળપ્રાપ્તિ થાય
થાય ત્યાં સુધી, વર્ણન કરવામાં આવે છે : સમસ્તનાનેતિવૃત્તવર્ષના | ‘સમરાદિત્યકથા” એ સકલકથાનો નમૂનો છે. વિવેવ (પૃ. ૪૬૫)માં ટિપ્પણ કરતાં ગ્રંથકાર સકલકથાને “ચરિતમ્' કે “ચરિત' કહે છે.
૫૯૩
૨૮