________________
સાહિત્યસ્વરૂપો
કાવ્યાનુશાસન'ના આઠમા અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્યે સાહિત્ય કે પ્રબંધાત્મક કાવ્યના ૧. પ્રેક્ષ્ય અને ૨. શ્રવ્ય એવા બે મુખ્ય પ્રકારો દર્શાવ્યા છે.
વ્યં પ્રેક્ષ્ય શ્રā a II (૮.૧) અર્થાત્ “કાવ્ય ૧. પ્રેક્ષ્ય કે દશ્ય અને ૨. શ્રવ્ય હોય છે.” પ્રેક્ષ્ય કાવ્ય પ્રત્યક્ષ જોઈને માણવાનું હોય છે; જ્યારે શ્રવ્ય કાવ્ય વાંચીને માણવાનું હોય છે. પ્રેક્ષ્ય કાવ્યમાં નાટકના બધા જ પ્રકારો સમાઈ જાય છે અને શ્રવ્ય કાવ્યમાં વાંચીને માણવાના બધા સાહિત્યપ્રકારો સમાય છે. ભટ્ટતતની ઉન્નત કાવ્ય વિભાવના
કાવ્ય', પછી એ નાટક હોય કે અન્ય સાહિત્યસ્વરૂપ હોય, એ કવિનું સર્જન છે, કવિકર્મ છે. અભિનવગુપ્તના ગુરુ અને “કાવ્યકૌતુક નામના સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના પ્રસિદ્ધ (પણ હાલ અપ્રાપ્ય) ગ્રંથના પ્રતિષ્ઠિત કર્તા, ભટ્ટતૌત કવિને દ્રષ્ટા(ઋષિ) તરીકે તથા માનવભાવોના આલેખક તરીકે ઓળખાવે છે; કેમ કે, કાવ્ય એ દર્શન કે ઊંડી અંતઃસ્કુરણા, દૃષ્ટિ કે આંતરિક જ્ઞાન છે અને સાથે સાથે વર્ણન એટલે કે એ અંતઃસ્કુરણારૂપ દર્શનનું ઉત્તમ નિરૂપણ પણ છે. આમ કવિ, ઋષિ છે; કારણ કે, એ પોતાની પ્રતિભાની ઊંડી દર્શનશક્તિથી, બધી જ ચીજોનાં ઊંડાં રહસ્યોનું તથા વિશિષ્ટ લક્ષણોનું અવગાહન-આકલન કરે છે. વસ્તુઓનું હાર્દ પામવાની શક્તિને કારણે જ સર્જકને કવિ કહેવાય છે, જે ઋષિનું બીજું નામ છે.
પણ કવિ માત્ર દર્શન કે વિભાવન જ નથી કરતો; એ સર્જન, વર્ણન કે નિરૂપણ પણ કરે છે. આમ કવિ વર્ણના કે સર્જનમાં પણ નિપુણ હોય છે. વસ્તુતઃ, કવિ શબ્દની વ્યુત્પત્તિ વૃ એ ધાતુમાંથી થઈ છે અને એના અર્થ છે આલેખવું, વર્ણવવું. આથી કવિ ઉત્કૃષ્ટ કૌશલપૂર્વક, અનેરા રસપૂર્વક વસ્તુઓનું વર્ણનનિરૂપણ
૫૮૩