________________
સંદર્ભમાં, ધનિક ઉમેરે છે કે, “મૃચ્છકટિકમાં વસન્તસેના, ચારુદત્ત પ્રત્યે અનુરાગયુક્ત છે તે આનો દાખલો છે. પ્રહસનમાં હાસ્યના ભાજન તરીકે, અનુરક્ત ન હોય તેવી ગણિકા આવી શકે. પણ દિવ્ય નાયક કે નૃપનાયક હોય તેવાં નાટકાદિમાં ગણિકા ન ચાલે.”
રુદ્રટે આને “સર્વાસતા” અને “સર્વાંગના' કહી છે (કાવ્યા. ૧૨.૧૬; ૨૧.૩૯). નાયિકાની આઠ અવસ્થાઓ
પ્રેમાસક્ત નાયિકાની આઠ અવસ્થાઓ ગ્રંથકારે વર્ણવી છે(૭.૩૦)૧૭૩
स्वाधीनपतिका प्रोषितभर्तका खण्डिता कलहान्तरिता वासकसज्जा વિરોષ્ઠતા વિપ્રવ્યાપારિકા વેતિ સ્વસ્ત્રીજી મટાવસ્થા: II (૭.૩૦)
અર્થાત “૧. સ્વાધીનપતિકા, ૨. પ્રોષિતભર્તૃકા, ૩. ખંડિતા, ૪. કલહાન્તરિતા, ૫. વાસકસજ્જા, ૬. વિરહોત્કંઠિતા, ૭. વિપ્રલબ્ધા અને ૮. અભિસારિકા એ સ્વકીયા (સ્વસ્ત્રી) નાયિકાની આઠ અવસ્થાઓ હોય છે.”
આમ, હેમચન્દ્રાચાર્યના મતે, પોતાના પતિના પ્રેમમાં આસક્ત સ્ત્રી(સ્વકીયા)ની આઠ અવસ્થાઓ છે. આ આઠેઆઠ અવસ્થાઓ પત્ની(સ્વકીયા)ને જ લાગુ પડી શકે એમ છે. પણ પ્રેમાતુર સ્ત્રી જો પત્ની ન હોય તો – એટલે કે એ સ્ત્રી જો પરસ્ત્રી કે કન્યા (પરકીયા) હોય તો, એની બાબતમાં આ બધી (આઠ) અવસ્થાઓ સંભવિત નથી; માત્ર છેલ્લી ત્રણ અવસ્થાઓ- વિરહાત્કંઠિતા, વિપ્રલબ્ધા કે અભિસારિકા એ ત્રણ અવસ્થાઓ જ સંભવિત છે (જુઓ સૂત્ર ૩૧ (૭.૩૧). આ કારણથી જ ત્રીસમા સૂત્ર(૭.૩૦)ના પ્રારંભે “વ-પરસ્ત્રી /મવસ્થા:' એટલે કે “સ્વ” (સ્વકીયા) અને ‘પરા'(પરકીયા) સ્ત્રીની અવસ્થા એમ કહ્યું છે. ટૂંકમાં, આ સૂત્રમાં પ્રેમાસક્ત “સ્વકીયા” અને “પરકીયા' સ્ત્રીની આઠ અવસ્થાનું વર્ણન છે. સ્વ-પર-સ્ત્રીઓની આઠ વિશિષ્ટ અવસ્થાઓનું વિવરણ
ગ્રંથકારે પ્રેમાસક્ત સ્ત્રીઓની આઠ અવસ્થાઓનું ત્રીસમા સૂત્ર(૭.૩૦)ની વત્તિમાં સોદાહરણ વિવરણ કર્યું છે : ૧. સ્વાધીનપતિકા - જે સ્ત્રીનો પતિ, રતિ ગુણથી આકર્ષાઈને, પાસે જ રહે છે
તથા સ્વાધીન રહે છે તે “સ્વાધીનપતિકા’ સ્ત્રી છે (ઉદા. ૭૧૫).
૫૭૨