SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ चन्द्रमयूखैर्निशा नलिनी कमलैः कुसुमगुच्छर्लता । हंसैः शरच्छोभा काव्यकथा सजनैः क्रियते गुरुकी ॥ અર્થાત્ “રાત્રિ ચંદ્રનાં કિરણોથી, કમલિની કમળોથી, લતા ફૂલોના ગુચ્છોથી, શરદ ઋતુની શોભા હસોથી અને કાવ્યકથા સજ્જનોથી ઉત્તમ ગણાય છે (ગુરુત્વ સંપાદન કરે છે).” આ ગાથા ધ્વન્યાલોકમાં પણ રજૂ થઈ છે(ધ્વ. આ. ૨.૨૭ની વૃત્તિ, પૃ. ૨૫૯-૬૦). એના ઉપર ટિપ્પણ કરતાં આનંદવર્ધન કહે છે, આ(ગાથા) દીપક અલંકારનું ઉદાહરણ છે. તેમાં ઉપમા ગર્ભિત રહેલી છે. છતાં વાચ્ય દીપક અલંકારને કારણે જ એમાં સુંદરતા આવી છે, નહિ કે વ્યંગ્ય ઉપમાને કારણે. એટલે એને વાચ્ય દીપક અલંકારનો દાખલો ગણવો જોઈએ.” “ધ્વન્યાલોક' પરની લોચન' ટીકામાં અભિનવગુપ્ત આ ગાથાનું વિવરણ કર્યું છે તે અહીં ‘વિવેક' (પૃ. ૩૫૫-૫૬)માં પૂરેપરું સમાવી લીધું છે માત્ર રૂતિ ટ્રીપચૈવપ્રધાનપHTયા: એ વાક્ય લીધું નથી. ઉપરોક્ત ગાથા વિશે ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે આ ગાથામાં માત્ર “કાવ્યકથા’ એ પ્રકૃતિ (ઉપમેય) છે; બાકીનાં બધાં અપ્રકૃત(ઉપમાનો છે); અને ગુરુત્વ સંપાદન કરવું (ગુરકીકરણ) અર્થાત્ “ગુરુ યિતે” એ બધાંમાં સામાન્ય એવી એક ક્રિયા છે. તેથી અહીંદીપક અલંકાર છે એમ માનવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય “અન્યોન્ય’ને દીપકથી જુદો ગણતા નથી; પણ મમ્મટ ગણે છે (કા. પ્ર. ૧૦.૧૨૦-૧૨૧). એટલે જ મમ્મટનું અન્યોન્યનું ઉદાહરણ અહીં દીપકના ઉદાહરણ તરીકે રજૂ થયું છે (ઉદા. ૫૫૮). હંસાનાં નહિં અર્થાત્ હંસાનાં શ્રી:- (જુઓ વિવેક પૃ. ૩૫૭). - હવે, વ હિં એ ગાથામાં “ગુરુકી ક્રિયતે”(ગુરુત્વ પામે છે) એ ક્રિયાપદ અંગે વિવાદ છે તેની વાત ગ્રંથકાર વિવેક'માં ઉપસ્થિત કરે છે. પૂર્વપક્ષ કહે છે કે ગુસકી ક્રિયતે' એ ક્રિયાપદ તરીકે જરૂરી કાર્ય કરે છે; પણ એ અલંકાર બની શકે નહીં. આનો જવાબ આપતાં હેમચન્દ્રાચાર્ય કહે છે કે, બધામાં સામાન્ય એવું આ ક્રિયાપદ અહીં અલંકારના સૌંદર્યનું કારણ નથી; પણ, ઘણાબધા પદાર્થો એક ક્રિયાપદ કે ગુણથી અન્વય(સંબંધ) પામે છે એ હકીકત જ દીપક અલંકારની ચારુતા સર્જે છે. વળી, દીપકમાં ઉપમાનું તત્ત્વ છે જ. પણ એ ઉપમાતત્ત્વ જેટલું ઉપનામાં પ્રધાન હોય છે તેટલું અહીં નથી અને એ જ દીપક અને ઉપમા વચ્ચેનો ફરક છે. દીપક'માં ઔપ છે જ રુદ્રટે પોતાના જાણીતા ગ્રંથ કાવ્યાલંકાર(અધ્યા. ૭)માં અર્થાલંકારોનું વાસ્તવ, ઔપમ્પ, અતિશય અને શ્લેષના આધારે વર્ગીકરણ કર્યું છે(૭.૯) અને ૫૩૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy