SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી પંક્તિમાં સભંગ શ્લેષ છે અને સમગ્ર શ્લોકમાં પાર્વતીની પ્રભાતસિધ્ધા સાથે સરખામણી કરી હોવાથી, ઉપમા અલંકાર પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ શ્લોકમાં કયો અલંકાર છે? પહેલાં તો હેમચન્દ્રાચાર્ય કહે છે કે, આ શ્લોકમાં શ્લેષ અને ઉપમાનું મિશ્રણ (સંકરત્વ) છે. કેમ કે, અહીં શ્લેષ વગર ઉપમા ટકી શકે નહીં. પણ, પછી, હેમચન્દ્રાચાર્ય કહે છે કે, ન્યાયબુદ્ધિથી જોઈએ તો આ શ્લોકમાં ઉપમા અલંકાર જ છે. કારણ કે, ઉપમા, કેવળ સમાનગુણ કે સમાન ક્રિયા(ગુણસામ્ય અને ક્રિયા સામ્ય) હોય ત્યાં જ થાય છે એવું નથી; પણ, જ્યાં શબ્દમાત્રનું પણ સામ્ય હોય ત્યાં પણ ઉપમા થઈ શકે છે ૩૭ : યથા મુક્રિયા સાથે ૩પમી તથા શબ્દમાત્રામ્બેડપિ દૃશ્યતે | જેમ કે “ વાર્તા પુરત ખાતે સંપ્રતિ સિતાંશુવિખ્વમવ' જેવા ઉદાહરણમાં, ‘ સ નમ' (૧. ચન્દ્રપક્ષે સત્ત-નમ અર્થાત્ “બધી કલાઓવાળું.” અને ૨. નગરપક્ષે સ નૈવતમ્ અર્થાત્ “ઘોંઘાટવાળું), એ શબ્દમાત્રનું જ, ચન્દ્ર અને નગર વચ્ચે, સામ્ય છે - બીજું ખરેખરું સામ્ય કંઈ નથી; છતાં આ ઉદાહરણમાં ઉપમા અલંકાર ગણાય છે અને તે યોગ્ય જ છે. (રુદ્રટે (કાવ્યા. ૪.૩૨) પણ કહ્યું છે કે ઉપમા અને સમુચ્ચય સ્પષ્ટતઃ અર્થાલંકાર છે - પણ કેવળ શબ્દમાત્રનું સામ્ય હોય તોયે તે અલંકારો સંભવે છે). આવાં ઉદાહરણોમાં સ્વયં ૨ પદ્ઘવા એ શ્લોકમાં શ્લેષ અલંકાર છે એમ કહેવું યોગ્ય નથી. એમ કરવાથી “પૂપમાને સ્થાન જ નહીં રહે. બીજી તરફ જો ગુણ અને ક્રિયાના સામ્યને ઉપમનાં પ્રમાણ માનવામાં આવશે તો અર્થશ્લેષને સ્થાન નહીં રહે. વળી દ્દિશઃ પ્રસાવિયન એ શ્લોક(ઉદા. ૬૧૯, પૃ. ૩૮૨, અર્થશ્લેષનું ઉદાહરણ)માં ઉપમાનથી બિલકુલ મુક્ત, સ્પષ્ટ રીતે, અર્થશ્લેષ અલંકાર જ છે. શ્રી હેમચન્દ્રાચાર્યે આ શ્લોક અર્થશ્લેષના ઉદાહરણ તરીકે ટાંક્યો છે(પૃ. ૩૮૨). આમ સ્વતંત્ર શ્લેષ અલંકાર હોય છે જ. શ્લેષનો વિષય ક્યો છે? જ્યાં જ્યાં શ્લેષ હોય ત્યાં બીજો કોઈ અલંકાર હોય જ; અને જો એ બીજા અલંકારને જ મુખ્ય માનવામાં આવે તો શ્લેષને સ્થાન જ નહીં રહે એવી ઉદ્ભટની દલીલ અસ્થાને છે. કારણ, હેમચન્દ્રાચાર્યે ઉપર જણાવ્યું છે તેમ સ્વંતત્ર ૫૧૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy